Home » photogallery » rajkot » આ જગ્યાની મુલાકાત લેતા જ થઇ જાય છે પુસ્તકો સાથે પ્રેમ, જીવન ઘડતર માટે અમૂલ્ય ભાગ ભજવતા પુસ્તકો

આ જગ્યાની મુલાકાત લેતા જ થઇ જાય છે પુસ્તકો સાથે પ્રેમ, જીવન ઘડતર માટે અમૂલ્ય ભાગ ભજવતા પુસ્તકો

રાજકોટ, શહેરીજનો વાંચન પ્રેમી બને અને તેનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉદ્દેશ્યથી સાહિત્ય સેતુ દ્વારા 'પુસ્તક પરબનું' નિઃશૂલ્ક આયોજન કરવામાં આવી રહ્યું છે. તો ચાલો જાણીએ તેના વિષે સમગ્ર માહિતી.

विज्ञापन

  • 16

    આ જગ્યાની મુલાકાત લેતા જ થઇ જાય છે પુસ્તકો સાથે પ્રેમ, જીવન ઘડતર માટે અમૂલ્ય ભાગ ભજવતા પુસ્તકો

    દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા શહેરીજનોની વાંચન વૃત્તિને વેગ આપવા માટે એક સુંદર આયોજન કરવામાં આવે છે. જેમાં સંસ્થા દ્વારા અતી બહોળા પ્રમાણમાં પુસ્તકોને લોકો સમક્ષ મુકવામાં આવે છે. સંસ્થાનો મુખ્ય હેતુ લોકોની વાંચન વૃત્તિને વેગ આપવાનો છે.

    MORE
    GALLERIES

  • 26

    આ જગ્યાની મુલાકાત લેતા જ થઇ જાય છે પુસ્તકો સાથે પ્રેમ, જીવન ઘડતર માટે અમૂલ્ય ભાગ ભજવતા પુસ્તકો

    આ આયોજન દર મહિનાના પહેલા રવિવારે કરવામાં આવે છે. જેનો સમય સવારે 10 થી 1 રાખવામાં આવે છે. આ આયોજન 'કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ', નૂતન નગર કોમ્યુનિટી હોલ પાસે કાલાવડ રોડ રાજકોટ ખાતે હોય છે. આ સિવાય સમયાંતરે શહેરની જાહેર જગ્યાઓ જેમ કે બાલાજી મંદિર, આશાપુરા મંદિર જેવા સ્થળોએ પણ વાંચન જાગૃતિના ભાગ રૂપે આયોજન કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 36

    આ જગ્યાની મુલાકાત લેતા જ થઇ જાય છે પુસ્તકો સાથે પ્રેમ, જીવન ઘડતર માટે અમૂલ્ય ભાગ ભજવતા પુસ્તકો

    શહેરના ઇચ્છુક વાંચકો આ પુસ્તક પરબની રૂબરૂ મુલાકાત લઇ શકે છે. ત્યારબાદ તેઓ પોતાનું મનગમતું કોઈ પણ પુસ્તક વાંચવા માટે લઇ જઈ શકે છે. મુલાકાત કે પુસ્તક વાંચવા માટે લઇ જવા કોઈ પણ નાણાંકીય ચાર્જ ચૂકવવાનો રહેશે નહિ. તેમજ કોઈ પણ પ્રકારનું પ્રી-રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહિ. આ સેવાકીય પ્રવૃત્તિ નગરજનો માટે સંપૂર્ણ નિઃશૂલ્ક છે.

    MORE
    GALLERIES

  • 46

    આ જગ્યાની મુલાકાત લેતા જ થઇ જાય છે પુસ્તકો સાથે પ્રેમ, જીવન ઘડતર માટે અમૂલ્ય ભાગ ભજવતા પુસ્તકો

    કદાચ તમને જાણીને નવાઈ લાગશે આ પ્રવૃત્તિ શરુ થયા બાદ શહેરમાં વસતા એવા વાંચન પ્રેમીઓ કે જેઓની ઉંમર 60 વર્ષથી વધુની છે તેઓ આજે ફરી એકવાર પુસ્તકાલય તરફ વળ્યા છે. આ વાત કોઈ ક્રાંતિથી કમ નથી.

    MORE
    GALLERIES

  • 56

    આ જગ્યાની મુલાકાત લેતા જ થઇ જાય છે પુસ્તકો સાથે પ્રેમ, જીવન ઘડતર માટે અમૂલ્ય ભાગ ભજવતા પુસ્તકો

    આ સંસ્થા પાસે હાલમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના કુલ 7 હજારથી પણ વધુ પુસ્તકો છે. જેમાં 'ભગવદ ગો મંડલ' જેવા અતિ દુર્લભ પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. વાંચન પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવવા સંસ્થા દ્વારા શહેરની 20 જેટલી સ્કૂલોને આશરે 3000 જેટલા પુસ્તકો ભેટ કરાયા છે.

    MORE
    GALLERIES

  • 66

    આ જગ્યાની મુલાકાત લેતા જ થઇ જાય છે પુસ્તકો સાથે પ્રેમ, જીવન ઘડતર માટે અમૂલ્ય ભાગ ભજવતા પુસ્તકો

    આ આયોજનને સફળ બનાવવા માટે સમર્પિત કાર્યકરોની ટીમ. તેમજ વધુ પૂછપરછ માટે અનુપમભાઇ દોશી, મોબાઈલ નંબર 9428233796 પર સંપર્ક કરવાનો રહેશે.

    MORE
    GALLERIES