Home » photogallery » rajkot » રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

Rajkot Crime News: પિતા-પુત્રને આપઘાત (father son suicide) કરવા માટે મજબૂર કરનાર ન વ્યાજખોરો વિરુદ્ધ જસદણ પોલીસે (Jasdan police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જે અંતર્ગત નવ પૈકી પોલીસે ત્રણ વ્યાજખોરોની ધરપકડ (usurers arrested) કરી છે.

  • 17

    રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

    અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટના જસદણમાં ચાર દિવસ પૂર્વે વ્યાજખોરોના ત્રાસના (Torture of usurers) કારણે પિતા-પુત્રને વખ ઘોળવાનો વારો આવ્યો હતો. સમગ્ર મામલે પિતા-પુત્રને આપઘાત (father son suicide) કરવા માટે મજબૂર કરનાર ન વ્યાજખોરો વિરુદ્ધ જસદણ પોલીસે (Jasdan police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જે અંતર્ગત નવ પૈકી પોલીસે ત્રણ વ્યાજખોરોની ધરપકડ (usurers arrested) કરી છે. બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા તમામ આરોપીઓ વહેલામાં વહેલી તકે પકડાય તેમ જ તમામને કડકમાં કડક સજા થાય તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 27

    રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

    રાજકોટ જિલ્લાના જસદણ ગામે વ્યાજખોરોના ત્રાસના કારણે પિતા-પુત્રને એકસાથે વખ ઘોળવાનો વારો આવ્યો હતો. આપઘાત કરતા પૂર્વે રમેશભાઈ દેસાભાઇ બડમલિયાએ પોતાના ભત્રીજા નિરવ બડમલિયાને ફોન કરીને છેલ્લા રામ રામ કહ્યા હતા. સમગ્ર બનાવની જાણ થતા પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટનાસ્થળે દોડી ગયેલા પરિવારજનોએ પિતા પુત્રનો આપઘાતનો પ્રયાસ કરેલી હાલતમાં જોયા હતા.

    MORE
    GALLERIES

  • 37

    રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

    તાત્કાલિક અસરથી પરિવારજનો દ્વારા 108 મારફતે જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે પિતા-પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન પિતા રમેશભાઈ દમ તોડયો હતો જ્યારે કે વધુ સારવાર અર્થે પુત્ર સતીષને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજતા બડમલિયા પરિવારે એક સાથે ઘરના બે જેટલા સભ્યો ખોવાનો વારો આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 47

    રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

    સમગ્ર મામલે પરિવારજનોની ફરિયાદના આધારે જસદણ પોલીસ દ્વારા નવ જેટલા વ્યાજ ખોરો વિરૂદ્ધ મની લોન્ડરીંગ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 57

    રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

    જેમાં પ્રતાપ ધાંધલ, મહંમદ ઉર્ફે હુસેન રાઠોડ, સલીમ મીઠાણી, મહિપત અજાણા, જયરાજ ચાવડા, સત્યજીત વાળા, ગૌતમ ધાંધલ, ઉદય ધાંધલ તેમજ પોપટ સુસરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પૈકી જસદણ પોલીસ દ્વારા પોપટ સુસરા, મહિપત અજાણા અને સલીમ મીઠાણી ની ધરપકડ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 67

    રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

    મળતી માહિતી મુજબ જસદણમાં મકાન ઉપર પાંચ લાખની લીધેલી લોન ચૂકવવા માટે પિતા-પુત્ર દ્વારા વ્યાજખોરો પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા. જસદણના શ્રીનાથજી ચોકમાં રહેતા અને સિવિલ હોસ્પિટલ નજીક હેર કટીંગનો વ્યવસાય કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનો ગુજરાત રમેશભાઈ અને તેનો પુત્ર ચલાવતા હતા.

    MORE
    GALLERIES

  • 77

    રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

    મૃતક સતીશ ને સંતાનમાં એક દીકરી છે ત્યારે નાની ઉંમરમાં દીકરીએ પોતાના વ્હાલસોયા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

    MORE
    GALLERIES