Home » photogallery » rajkot » રાજકોટ: આ ગામમાં સ્વૈચ્છિક લૉકડાઉન, દુકાન ખુલ્લી રાખનાર વેપારી પાસેથી દંડ વસૂલ કરાશે

રાજકોટ: આ ગામમાં સ્વૈચ્છિક લૉકડાઉન, દુકાન ખુલ્લી રાખનાર વેપારી પાસેથી દંડ વસૂલ કરાશે

રાજકોટમાં કોરોનાનો પ્રકોપ: રાજકોટ જિલ્લાના અત્યારસુધીમાં 130 જેટલા ગામડાઓએ સ્વૈચ્છિક લૉકડાઉનનીની જાહેરાત કરી છે.

  • 14

    રાજકોટ: આ ગામમાં સ્વૈચ્છિક લૉકડાઉન, દુકાન ખુલ્લી રાખનાર વેપારી પાસેથી દંડ વસૂલ કરાશે

    અંકિત પોપટ, રાજકોટ: હાલ રાજ્ય અને દેશમાં કોરોનાનું સંક્રમણ (Coronavirus) ખૂબ વધ્યું છે. વધી રહેલા કોરોના કેસના પગલે રાજકોટ IMA દ્વારા 14-21 દિવનું લૉકડાઉન (Lockdown) એક જ માત્ર ઉપાય હોવાનું જણાવ્યું છે. ત્યારે રાજકોટ શહેર કરતાં ગ્રામ્યના લોકો કોરોનાની ચેન તોડવા માટે વધુ સતર્ક હોવાનું સામે આવ્યું છે. રાજકોટ નજીક આવેલા એક ગામે સ્વૈચ્છિક લૉકડાઉન (Self lockdown)ની જાહેરાત કરી છે. લૉકડાઉનનું કડક પાલન થાય તે માટે પણ ગ્રામ પંચાયત તરફથી દુકાન ખુલ્લી રાખે તેની પાસેથી દંડ વસૂલવાની જાહેરાત કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 24

    રાજકોટ: આ ગામમાં સ્વૈચ્છિક લૉકડાઉન, દુકાન ખુલ્લી રાખનાર વેપારી પાસેથી દંડ વસૂલ કરાશે

    રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના અત્યાર સુધીમાં 130 જેટલા ગામડાઓએ સ્વૈચ્છિક લૉકડાઉનનીની જાહેરાત કરી છે. બુધવારના રોજ રાજકોટથી ખૂબ જ નજીક આવેલા ગૌરીદળના ગ્રામજનો દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી 16થી 21 એપ્રિલ સુધી ગૌરીદડ ગામ સ્વયંભૂ બંધ રહેશે. આ સમય દરમિયાન ગામના કોઈપણ ફેરીયા કે વેપારી પોતાની દુકાન ખોલશે તો તેમની પાસેથી ગ્રામ પંચાયત રૂપિયા 1000નો દંડ વસૂલ કરશે. 

    MORE
    GALLERIES

  • 34

    રાજકોટ: આ ગામમાં સ્વૈચ્છિક લૉકડાઉન, દુકાન ખુલ્લી રાખનાર વેપારી પાસેથી દંડ વસૂલ કરાશે

    બીજી બાજુ રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલની બહાર એમ્બ્યુલન્સમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખુદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના પ્રમુખ પ્રફુલ કમાણીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હોસ્પિટલ તેમજ હોસ્પિટલ સ્ટાફ થાકી ચૂક્યો છે. હવે કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે તેને અટકાવવા માટે લૉકડાઉન એક જ માત્ર વિકલ્પ બાકી વધ્યો છે.

    MORE
    GALLERIES

  • 44

    રાજકોટ: આ ગામમાં સ્વૈચ્છિક લૉકડાઉન, દુકાન ખુલ્લી રાખનાર વેપારી પાસેથી દંડ વસૂલ કરાશે

    રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં મંગળવારના રોજ 529 પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન 55 દર્દીનાં મોત નીપજ્યાનું સામે આવ્યું હતું. છેલ્લા 4 દિવસમાં 201 જેટલા કોરોના સંક્રમિત દર્દીનાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. કોરોના સંક્રમિત દર્દીનાં મૃત્યુ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેતી હોય છે. (ફાઈલ તસવીર)

    MORE
    GALLERIES