Home » photogallery » porbandar » PHOTOS: પોરબંદરના મહાલક્ષ્મી મંદિરમાં 21 લાખની ચલણી નોટોનો કરાયો શણગાર

PHOTOS: પોરબંદરના મહાલક્ષ્મી મંદિરમાં 21 લાખની ચલણી નોટોનો કરાયો શણગાર

આ ચલણી નોટોને પૂજા માટે અથવા તિજોરીમાં રાખવા માટે ભક્તો લઈ જતા હોય છે

  • 17

    PHOTOS: પોરબંદરના મહાલક્ષ્મી મંદિરમાં 21 લાખની ચલણી નોટોનો કરાયો શણગાર

    પોરબંદરના શહેરીજનો માટે આસ્થાનુ સ્થાન ગણાતા 190 વર્ષ જુના મહાલક્ષ્મીજીના મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના દિવસે લાખો રુપિયાની ચલણી નોટોના શોભા દર્શનનુ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 21 લાખની 1 રુપીયાથી લઈને 2 હજાર સુધીની ચલણી નોટોના શણગારનુ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં શહેરીજનો મહાલક્ષ્મીના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા.

    MORE
    GALLERIES

  • 27

    PHOTOS: પોરબંદરના મહાલક્ષ્મી મંદિરમાં 21 લાખની ચલણી નોટોનો કરાયો શણગાર

    હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનુ અનેરુ મહત્વ રહેલુ છે.દિવાળીના દિવસે મહાલક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાનુ મોટુ મહત્વ રહેલુ છે. ત્યારે પોરબંદરના એકમાત્ર એમજી રોડ પર આવેલ 190 વર્ષ જુના મહાલક્ષ્મીજીના મંદિરે દિવાળીના પર્વે પર ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડે છે. આ મંદિરના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી વિવધ ચલણી નોટોના શોભાદર્શનનું આયોજન કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 37

    PHOTOS: પોરબંદરના મહાલક્ષ્મી મંદિરમાં 21 લાખની ચલણી નોટોનો કરાયો શણગાર

    મંદિર દ્વારા ચલણી નોટોના શોભા દર્શનમાં આ વર્ષે 21 લાખની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે રુપિયા 1થી લઈને 2 હજાર સુધીની નોટો તેમજ ભારતીય ચલણમાં સમાવેશ તમામ સીકાઓનો પણ આ શણગારમાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે. તો સાથે જ મહાલક્ષ્મીજીના દર્શને આવતી સૌભાગ્યવતી સ્ત્રીઓને પ્રસાદીરુપે કંકુની ડબીઓ આપવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 47

    PHOTOS: પોરબંદરના મહાલક્ષ્મી મંદિરમાં 21 લાખની ચલણી નોટોનો કરાયો શણગાર

    પોરબંદર મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટી દિનેશ ત્રિવેદીએ જણાવ્યું કે, દર વર્ષે મંદિરના ટ્રસ્ટ દ્વારા શોભાદર્શનમાં રાખવામાં આવેતી ચલણી નોટોને વેપારીઓ અને દર્શનાર્થે આવતા ભક્તો ભેટ ધરીને, આ ચલણી નોટોને પૂજા માટે અથવા તિજોરીમાં રાખવા માટે લઈ જતા હોય છે.

    MORE
    GALLERIES

  • 57

    PHOTOS: પોરબંદરના મહાલક્ષ્મી મંદિરમાં 21 લાખની ચલણી નોટોનો કરાયો શણગાર

    આ મહાલક્ષ્મીના મંદિરે દર દિવાળીના દિવસે ખારવા જ્ઞાતીના 51 દપંતીઓ સવારના ગણેશજી અને મહાલક્ષ્મીજીની પૂજા અર્ચના કરીને શહેરીજનોની સુખાકારી માટે પ્રાથના કરે છે. તો દર વર્ષે લાખો રુપિયાની ચલણી નોટોના શણગારથી સજ્જ મહાલક્ષ્મીજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરતા હોય છે.

    MORE
    GALLERIES

  • 67

    PHOTOS: પોરબંદરના મહાલક્ષ્મી મંદિરમાં 21 લાખની ચલણી નોટોનો કરાયો શણગાર

    અહીં દર્શનાર્થે આવતા ભાવિકો દ્વારા એવુ જણાવવામાં આવ્યુ હતુ કે, આટલા પૌરણીક આ મંદિરમાં દિવાળીના દિવસે દર્શન કરવાનો અનેરો મહિમા છે, તેમજ અહી જે રીતે ચલણી નોટોના અનેરા દર્શનનુ આયોજન કરવામાં આવે છે તે પણ ખુબ જ સરસ આયોજન હોય છે.

    MORE
    GALLERIES

  • 77

    PHOTOS: પોરબંદરના મહાલક્ષ્મી મંદિરમાં 21 લાખની ચલણી નોટોનો કરાયો શણગાર

    પોરબંદરના આ મહાલક્ષ્મી માતાજીના મંદિરે આજે મોડી રાત્રી સુધી મોટી સંખ્યાં ભાવિક ભક્તો આ ચલણી નોટોના શોભાદર્શનનો લ્હાવો લેશે. દિવાળીના તહેવારમાં પોરબંદરવાસીઓને મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે અનોખા ચલણી નોટોના અદભૂત દર્શન કરાવવામાં આવી રહ્યા છે તેને અહીં આવતા ભાવિકો પણ દર્શન મંદિર ટ્રસ્ટની મહેનતને બિરદાવતા જોવા મળી રહ્યા છે. ( પ્રતીશ શીલુ - પોરબંદર)

    MORE
    GALLERIES