Home » photogallery » porbandar » પાણીના કકળાટ વચ્ચે પોરબંદરના આ લોકો માટે ભૂગર્ભ ટાંકા આશીર્વાદ સમાન

પાણીના કકળાટ વચ્ચે પોરબંદરના આ લોકો માટે ભૂગર્ભ ટાંકા આશીર્વાદ સમાન

આ ટાંકાઓમાં વર્ષો સુધી પાણીનો સંગ્રહ કરવા છતા પણ તે પાણી જરા પણ દૂષીત થતું નથી

  • 17

    પાણીના કકળાટ વચ્ચે પોરબંદરના આ લોકો માટે ભૂગર્ભ ટાંકા આશીર્વાદ સમાન

    "પાણી બચાવો જીવન બચાવો" જેવા અનેક સુત્રોની વાતો તો આપણે ત્યા ખુબજ થતી હોય છે. પરંતુ ખરા અર્થમાં પાણીનો સંગ્રહ કરવામાં અને જરુર પુરતો જ ઉપયોગ કરવાના બદલે પાણીનો વેડફાટ પણ ખુબજ જોવા મળે છે. પાણીની અછતનો સાચો ખ્યાલ ત્યારે જ આવે છે જ્યારે ઓછો વરસાદ પડે અને જળ સંગ્રહનો અભાવ હોય. પોરબંદર જિલ્લા સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે પીવાનું પાણી મેળવવા માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ ખરા અર્થમાં વરસાદી પાણીને ખોટી રીતે વહેતું અટકાવી આ પાણીનો જો યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો પાણીની અછતમાં વર્ષો સુધી સંગ્રહ કરેલુ પાણી આશિર્વાદ રુપ બનતું હોય છે. (પ્રતિશ શિલુ, પોરબંદર)

    MORE
    GALLERIES

  • 27

    પાણીના કકળાટ વચ્ચે પોરબંદરના આ લોકો માટે ભૂગર્ભ ટાંકા આશીર્વાદ સમાન

    ગાંધીજન્મભૂમી કિર્તીમંદિર આસપનો વિસ્તાર કે જેને જુનુ પોરબંદર કહેવામાં આવે છે. ત્યાના તમામ ઘરોમાં આજે જળસંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા વિશાળ ભૂગર્ભ ટાકાઓ આવેલા છે. કિર્તીમદિરમાં આવેલા મહાત્મા ગાંધીના જન્મસ્થળ તેમજ કસ્તુરબા ગાંધીના જન્મસ્થળ ખાતે પણ 20 ફૂટ જેટલા ઉંડા ભૂગર્ભ ટાકાઓ આવેલા છે.

    MORE
    GALLERIES

  • 37

    પાણીના કકળાટ વચ્ચે પોરબંદરના આ લોકો માટે ભૂગર્ભ ટાંકા આશીર્વાદ સમાન

    આ ટાંકાઓના પાણીની વિશેષતા જણાવતા અહિના સ્થાનિકોએ એવુ જણાવ્યું હતું કે,ગત વર્ષે પોરબંદરમાં ઓછા વરસાદના કારણે આ ભૂગર્ભ ટાકાઓમાં હાલ ઓછું પાણી છે.

    MORE
    GALLERIES

  • 47

    પાણીના કકળાટ વચ્ચે પોરબંદરના આ લોકો માટે ભૂગર્ભ ટાંકા આશીર્વાદ સમાન

    અન્યથા વરસાદ અને નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીનો ટાકામાં સંગ્રહ કરીને આ પાણીનો વર્ષો સુધી ઉપયોગ કરી શકાય છે.

    MORE
    GALLERIES

  • 57

    પાણીના કકળાટ વચ્ચે પોરબંદરના આ લોકો માટે ભૂગર્ભ ટાંકા આશીર્વાદ સમાન

    આમ છતા તેઓને અન્ય લોકો જે રીતે પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે તેવી પાણીની જરા પણ અછત તેઓને નથી વર્તાતી જેનું કારણ એકમાત્ર આ ભૂગર્ભ ટાકા છે.

    MORE
    GALLERIES

  • 67

    પાણીના કકળાટ વચ્ચે પોરબંદરના આ લોકો માટે ભૂગર્ભ ટાંકા આશીર્વાદ સમાન

    આ ટાકાઓમાં વર્ષો સુધી પાણીનો સંગ્રહ કરવા છતા પણ તે પાણી જરા પણ દૂષીત થતું નથી અને તેને પીવાનાં પાણી તરીકે પણ લોકો ઉપયોગમાં લેતા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

    MORE
    GALLERIES

  • 77

    પાણીના કકળાટ વચ્ચે પોરબંદરના આ લોકો માટે ભૂગર્ભ ટાંકા આશીર્વાદ સમાન

    જુના પોરબંદરમાં ભૂગર્ભ ટાકાઓ વડે થતા જળસંગ્રહના મુલ્યને સમજી સૌ કોઈ તેમાંથી પ્રેરણા લે તો દુષ્કાળના સમયે વર્તાતિ પાણીની અછતથી ઘણા અંશે લોકોને રાહત મળી શકે તેમ છે.

    MORE
    GALLERIES