Home » photogallery » porbandar » ‘એ હાલો માનવીયું ને મેળે...’ માધવપુરમાં ભગવાન કૃષ્ણ-રુક્મણીના લગ્ન થયા'તા

‘એ હાલો માનવીયું ને મેળે...’ માધવપુરમાં ભગવાન કૃષ્ણ-રુક્મણીના લગ્ન થયા'તા

ગુજરાતમાં અનેક નાના-મોટા લોકમેળાઓ યોજાય છે, તેમાં સૌરાષ્ટ્રમાં યોજાતા ત્રણ મેળાઓ પ્રચલિત અને આગવું સ્થાન ધરાવે છે. માધવપુરનો મેળો પણ તેમાં સ્થાન ધરાવે છે.

  • 16

    ‘એ હાલો માનવીયું ને મેળે...’ માધવપુરમાં ભગવાન કૃષ્ણ-રુક્મણીના લગ્ન થયા'તા

    ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતો માધવપુર (ઘેડ)નો ઐતિહાસિક લોકમેળો શ્રીકૃષ્ણ અને રૂકમણીજીની લગ્નપ્રસંગની ઝાંખી કરાવે છે. ચૈત્ર મહિ‌નાની રામનવમીથી તેરસ સુધી પાંચ દિવસનો યોજાતો આ ભાતીગળ લોકમેળો અનોખી ભાત પાડે છે.

    MORE
    GALLERIES

  • 26

    ‘એ હાલો માનવીયું ને મેળે...’ માધવપુરમાં ભગવાન કૃષ્ણ-રુક્મણીના લગ્ન થયા'તા

    આ મેળામાં ઉત્તર-પૂર્વીય આઠ રાજ્યોના લોકો ભાગ લે છે. આ મેળો અરૂણાચલ પ્રદેશની 'મીશમી જનજાતી'ના લોકોને ગુજરાત સાથે જોડે છે. માધવપુર ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું ઐતિહાસિક સ્થળ છે. શ્રીકૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રિકો ધન્યતા અનુભવતા હોય છે.

    MORE
    GALLERIES

  • 36

    ‘એ હાલો માનવીયું ને મેળે...’ માધવપુરમાં ભગવાન કૃષ્ણ-રુક્મણીના લગ્ન થયા'તા

    શ્રીકૃષ્ણની યાત્રા અને એમના જીવનમાંથી એક ભારતની પ્રેરણા મળે છે. તેમની પ્રેરણા માધવપુરના માંડવે અનુભવાય છે. રૂકમણી સાથે કૃષ્ણનો મિલાપ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે.

    MORE
    GALLERIES

  • 46

    ‘એ હાલો માનવીયું ને મેળે...’ માધવપુરમાં ભગવાન કૃષ્ણ-રુક્મણીના લગ્ન થયા'તા

    ભગવાનના વિવાહની સાક્ષી બનેલા આ ઐતિહાસિક સ્થળ પર ચૈત્ર સુદ નવમીએ એટલે કે 30 માર્ચે મંડપ રોપણથી ઉત્સવ શરૂ થયો. બાદમાં ત્રણ દિવસ ભગવાનનું ફૂલેકું નગરમાં ફરે છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે.

    MORE
    GALLERIES

  • 56

    ‘એ હાલો માનવીયું ને મેળે...’ માધવપુરમાં ભગવાન કૃષ્ણ-રુક્મણીના લગ્ન થયા'તા

    માધવરાયજી મંદિર અને માધવપુરની ગલીએ ગલીએ કૃષ્ણ વિવાહ ગીતો ગૂંજી ઉઠે છે. ભગવાનના વિવાહ નિહાળવા માટે ગામે ગામથી અને બીજા રાજ્યોમાંથી લોકો આવે છે. 5 હજાર વર્ષ પહેલાં આ નગર ભગવાનના વિવાહનું સાક્ષી બન્યું હતું ત્યારથી અહીં દરવર્ષે આ ઉત્સવ ઉજવવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 66

    ‘એ હાલો માનવીયું ને મેળે...’ માધવપુરમાં ભગવાન કૃષ્ણ-રુક્મણીના લગ્ન થયા'તા

    ત્યારે આધ્યાત્મની સાથેઆ મેળામાં અવનવા રંગ પણ જોવા મળે છે. તેમાંય મેળાની રંગત તો 7 વાગ્યા પછી બરોબર જામે છે. જેમ જેમ અંધારુ થતું જાય તેમ તેમ રાતની રોશનીએ આસ્થા સાથે ઉત્સવમાં ચાર ચાંદ લગાવી દીધાં.

    MORE
    GALLERIES