Home » photogallery » porbandar » હે રામ ! પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન બન્યું ખંઢેર, અંદરથી મળી દારૂની ખાલી બોટલો!

હે રામ ! પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન બન્યું ખંઢેર, અંદરથી મળી દારૂની ખાલી બોટલો!

કરોડો રૂપીયાનાં ખર્ચે સર્કિટ હાઉસ નજીક ગાંધી સ્મૃતિ ભવનનું ધ્યાન એકમાત્ર ચોકિદાર રાખે છે, આજે આ સ્મૃતિ ભવન યોગ્ય જાળવણી ન થવાથી ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયું

  • 110

    હે રામ ! પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન બન્યું ખંઢેર, અંદરથી મળી દારૂની ખાલી બોટલો!

    ગુજરાત સહિત દેશભરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધી જન્મભૂમી તરીકે વિશ્વભરમાં જાણીતા પોરબંદરમાં દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓને આકર્ષવા માટે કરોડો રૂપીયાનાં ખર્ચે વિલા સર્કિટ હાઉસ નજીક ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતુ, જેનું ઉદઘાટન ગુજરાતનાં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું, પરંતુ આજે આ સ્મૃતી ભવનના ગ્રંથાલય અને સંગ્રાહલયની યોગ્ય જાળવણી નહીં થતી હોવાથી ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયા છે. પ્રતીશ શીલુ, પોરબંદર

    MORE
    GALLERIES

  • 210

    હે રામ ! પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન બન્યું ખંઢેર, અંદરથી મળી દારૂની ખાલી બોટલો!

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં ગાંધી જન્મસ્થળની મુલાકાતે દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવતા હોય, આથી રાજ્ય સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે ચોપાટી નજીક અનેક વાદ-વિવાદો બાદ ગાંધી સ્મૃતિભવનનું નિર્માણ કર્યું હતું. નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્મૃતિભવનના સંગ્રાહલયમાં ગાંધીજીની કેટલીક દુર્લભ તસ્વીરો તેમજ યાદગાર પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે તો ગ્રંથાલયમાં ગાંધીજીના જીવન પર આધારીત પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 310

    હે રામ ! પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન બન્યું ખંઢેર, અંદરથી મળી દારૂની ખાલી બોટલો!

    સ્મૃતીભવનના લોકાર્પણ બાદ સ્મૃતિભવનનું સંચાલન રાજ્યસરકારનાં યુવા અને સાંસ્કૃતિક વિભાગને સોંપવામાં આવ્યું છે. પરંતુ હાલ આ ગાંધી સ્મૃતિભવન ફક્ત શોભાના ગાઠીયા સમાન બની ગયું છે, સ્ટાફના અભાવે આજ દીન સુધી ગ્રંથાલયના કબાટમાં રહેલા ગાંધીજીના પુસ્તકો બહાર જ નથી આવ્યા, એટલે કે કબાટનું તાળું જ નથી ખુલ્યું.

    MORE
    GALLERIES

  • 410

    હે રામ ! પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન બન્યું ખંઢેર, અંદરથી મળી દારૂની ખાલી બોટલો!

    કેટલીક જગ્યાએ કબાટ ખરાબ થઈ જતા પુસ્તકોને બહાર રાખી મુકવામા આવ્યા છે. કોઈ લાયબ્રેરીયન નહી હોવાથી કોન્ટ્રાક્ટ બેઈઝ પર રાખવામાં આવેલા એક સીક્યુરીટી ગાર્ડના ભરોસે હાલ તો સમગ્ર સ્મૃતિ ભવન જોવા મળી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 510

    હે રામ ! પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન બન્યું ખંઢેર, અંદરથી મળી દારૂની ખાલી બોટલો!

    ઇમારતમાં ગ્રંથાલય અને સંગ્રાહલયમાં ધુળ જામી ગઇ, તો બંન્ને સ્થળો પર ઉપરની છત તૂટી જવાથી ચોમાસા દરમિયાન તો પાણી ટપકે છે. ત્યારે ગાંધી જન્મભૂમીમાં જ ગાંધીજીના સ્મૃતિભવનની આવી દુર્દશા માટે કોણ જવાબદાર ?

    MORE
    GALLERIES

  • 610

    હે રામ ! પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન બન્યું ખંઢેર, અંદરથી મળી દારૂની ખાલી બોટલો!

    ગાંધી સ્મૃતિભવનમાં અસુવિધાઓ અંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા જનતા રેડ કરવામા આવી હતી, જનતા રેડ દરમિયાન સ્મૃતિભવનની અંદર લાઈબ્રેરી અને સંગ્રાહલયની મુલાકાત દરમિયાન કેટલીક અસુવિધાઓ સામે આવી હતી,

    MORE
    GALLERIES

  • 710

    હે રામ ! પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન બન્યું ખંઢેર, અંદરથી મળી દારૂની ખાલી બોટલો!

    સમગ્ર દુનિયા જેને વિશ્વવિભૂતી અને મહામાનવ ગણે છે તેવા ગાંધીજીના જન્મસ્થળ ખાતે આવેલી તેમની સ્મૃતી ભવનની હાલત દયનીય જોવા મળી રહી છે. ત્યારે કરોડો રુપિયા ખર્ચીને નિર્માણ કરાયેલા આ ગાંધી સ્મૃતીભવનના સુચારુ સંચાલન માટે સરકાર આ સ્મૃતિભવન ખાતે પબરતા પ્રમાણમાં સ્ટાફ અને યોગ્ય જાળવણી પણ કરે તે જરુરી છે.

    MORE
    GALLERIES

  • 810

    હે રામ ! પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન બન્યું ખંઢેર, અંદરથી મળી દારૂની ખાલી બોટલો!

    ગાંધી સ્મૃતિભવનમાં અસુવિધાઓ અંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા જનતા રેડ કરવામા આવી હતી, જનતા રેડ દરમિયાન સ્મૃતિભવનની અંદર લાઈબ્રેરી અને સંગ્રાહલયની મુલાકાત દરમિયાન કેટલીક અસુવિધાઓ સામે આવી હતી, સાથે સ્મૃતિ ભવનની છત પર અને પાછળના ભાગે થી દારૂની ખાલી બોટલો અને બિયરના ટીન પણ મળી આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 910

    હે રામ ! પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન બન્યું ખંઢેર, અંદરથી મળી દારૂની ખાલી બોટલો!

    કોંગ્રેસ દ્વારા રામધુન બોલાવીને પ્રતિક ધરણા પણ યોજ્યા હતા. સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામા આવ્યા હતા અને આ સંકુલની વ્હેલી તકે યોગ્ય જાળવણી થાય તેવી માંગ કરવામાં આવી હતી

    MORE
    GALLERIES

  • 1010

    હે રામ ! પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન બન્યું ખંઢેર, અંદરથી મળી દારૂની ખાલી બોટલો!

    કરોડો રૂપીયાનાં ખર્ચે વિલા સર્કિટ હાઉસ નજીક ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતુ, જેનું ઉદઘાટન ગુજરાતનાં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું,

    MORE
    GALLERIES