પ્રતિશ શીલુ, પોરબંદરઃ કોરોના વાયરસે (coronavirus) આજે વિશ્વ કક્ષાએ થોડો અંશે તમામ વેપાર- ઉદ્યોગને (business) અસર પહોંચાડી છે જેનાથી આજે મંદિનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ જે દેશમાંથી શરુઆત થઈ છે તે ચીનની (china) તાનાશાહી અને સરમુખ્યતાર શાહી નિતીથી (Dictatorship) આજે તમામ લોકો અવગત છે. ચીનની હેલ્થ ઓથોરીટીની (Health Authority of China) ખોટી કનડગત અને અને દાદાગીરીનો શીકાર ગુજરાતના સી ફૂડ એક્સપોર્ટરો (Sea Food Exporters of Gujarat) બન્યા છે. ગુજરાત વર્ષોથી ચીનમાં સી ફૂડ એક્સપોર્ટ્સ કરતુ આવ્યુ છે. ગુજરાતમાંથી એક્સપોટર્સ થનાર કુલ સી ફૂ઼ડમાંથી 70 ટકા સી ફૂડ તો માત્ર ચાઈનમાં જ એક્સપોટર્સ થાય છે.
એટેલે કહી શકીએ ચીન એ ગુજરાતનું સી ફૂડ ખરીદી કરતું સૌથી મોટો દેશ છે. પરંતુ જ્યારથી કોરોના વાયરસન શરુઆત થઈ છે ત્યારથી ચીનની હેલ્થ ઓથોરીટી દ્વારા કોઈને કોઈ કારણોસર ગુજરાતથી જતા સી ફૂડ કન્ટેનરો સાથે કનડગત શરુ કરવામાં આવી રહી છે. ચીનની દાદાગીરી અંગે ગુજરાત સી ફૂડ એક્સપોટર્સ એશોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ કે.આર.સલેટે એવુ જણાવ્યુ હતુ કે,હાલમાં ચીનની હેલ્થ ઓથોરીટીએ ગુજરાતના 80 જેટલા કન્ટેનરો છેલ્લા સાત-આઠ મહિનાથી વધુ સમયથી ક્લિયરન્સ ના વાંકે રોકી રાખ્યા છે ન તો ચીન આ કન્ટેનરોને ક્લીયર પણ નથી કરી રહ્યુ અને કન્ટેનરો પરત પણ નહી કરતુ હોવાથી સી ફૂડ એક્સપોર્ટરોના અંદાજે 50 કરોડથી વધુ રૂપિયા હાલ ચીનમાં ફસાયા છે.
ગુજરાતમાંથી છેલ્લા ઘણા વર્ષોથી 2 થી 3 હજાર કરોડનું સી ફૂડ વિદેશોમાં એક્સપોટર્સ કરવામાં આવે છે જેમાં સૌથી વધુ સી ફૂડનુ એક્સપોટર્સ વેરાવળ,પોરબંદર અને માંગરોળમાથી થાય છે વર્ષે કેન્દ્ર સરકારને મોટુ વિદેશી હુંડીયામણ કમાવી આપતા આ ઉદ્યોગની હાલની ચીન સરકારની આ સમસ્યા અંગે રાજ્યથી લઈ કેન્દ્ર સરકાર સુધી રજુઆત કરવામાં આવી છતા આટલા મહિનાઓ વિતવા છતા કન્ટેનર ક્લીયર અથવા પરત કરવા કોઈ કાર્યવાહી થઈ નથી.
હાલમાં કરોડો રુપિયાના સી ફૂડથી ભરેલા આ કન્ટેનરો ચીને વ્યવસ્થિત રાખ્યા હશે કે કેમ તેને લઈને પણ સી ફૂડ એક્સપોટર્સને ચિંતા સતાવી રહી છે. સી ફૂડ એક્સપોટર્સ એશોસિએશનના વાઈસ પ્રેસિડન્ટે જણાવ્યુ હતુ કે,ચીન ભલે અમારા કન્ટેનરો રીલીઝ ન કરે તો કમસે કમ અમારા કન્ટેનરો પરત તો કરે જેથી અમે તેને અન્ય જગ્યાએ વહેંચી શકીએ કે ઉપયોગ કરી શકીએ.
છેલ્લા સાત-આઠ મહિના જેટલો સમય થઈ ગયો છે ત્યારે માલની સ્થિતિ કેવી હશે તેની અમોને જાણ નથી ત્યારે આ માલ બગડી જશે તો તેના જવાબદાર કોણ તેવા પ્રશ્નો વાઈસ પ્રસિડન્ટે ઉઠાવ્યા હતા.આર્થિક રીતે મોટી નુકસાની સહન કરી રહેલ માછીમાર ઉદ્યોગની મુશ્કેલીઓ સમજી તેમના પ્રશ્નો તરફ સરકાર ધ્યાન આપે તે જરુરી છે.કેન્દ્ર સરકાર સી ફૂડ એક્સપોટર્સના આ પ્રશ્ને ચીન સરકાર સાથે વાત કરી યોગ્ય ઉકેલ લાવે તે જરુરી છે.