Home » photogallery » panchmahal » Panchmahal: ગુજરાતનું રહસ્યમય શિવ મંદિર, અહીં દર વર્ષે શિવલિંગ ચોખાના દાણા જેટલું વધતું હોવાનો દાવો!

Panchmahal: ગુજરાતનું રહસ્યમય શિવ મંદિર, અહીં દર વર્ષે શિવલિંગ ચોખાના દાણા જેટલું વધતું હોવાનો દાવો!

ગોધરા શહેરથી આશરે 30 કિલોમીટરના અંતરે શહેરા તાલુકાના પાલીખંડા ગામ પાસે શામળાજી-હાલોલ હાઇવે માર્ગને અડીને પૌરાણિક અને સ્વયંભૂ એવું મરડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

  • 18

    Panchmahal: ગુજરાતનું રહસ્યમય શિવ મંદિર, અહીં દર વર્ષે શિવલિંગ ચોખાના દાણા જેટલું વધતું હોવાનો દાવો!

    Prasant Samtani, Panchmahal; ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરથી આશરે 30 કિલોમીટરના અંતરે શહેરા તાલુકાના પાલીખંડા ગામ પાસે શામળાજી-હાલોલ હાઇવે માર્ગને અડીને પૌરાણિક અને સ્વયંભૂ એવું મરડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

    MORE
    GALLERIES

  • 28

    Panchmahal: ગુજરાતનું રહસ્યમય શિવ મંદિર, અહીં દર વર્ષે શિવલિંગ ચોખાના દાણા જેટલું વધતું હોવાનો દાવો!

    લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે . લોકો ગુજરાત તેમજ ગુજરાત બહારના રાજ્યોમાંથી પણ મડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે શહેરા તાલુકાની મુલાકાત લેતા હોય છે.

    MORE
    GALLERIES

  • 38

    Panchmahal: ગુજરાતનું રહસ્યમય શિવ મંદિર, અહીં દર વર્ષે શિવલિંગ ચોખાના દાણા જેટલું વધતું હોવાનો દાવો!

    મરડેશ્વર મહાદેવના મંદિરની વિશેષતા એ છે કે, અહીં આવેલું શિવલિંગ 7 ફૂટ જેટલું ઊંચું છે, અને શિવલિંગના ઉપરના ભાગમાં એક મોટો ખાડો આવેલ છે , જેમાંથી સતત પાણીની અવિરત ધરા વહેતી રહે છે.

    MORE
    GALLERIES

  • 48

    Panchmahal: ગુજરાતનું રહસ્યમય શિવ મંદિર, અહીં દર વર્ષે શિવલિંગ ચોખાના દાણા જેટલું વધતું હોવાનો દાવો!

    લોકોની માન્યતા મુજબ સ્વયંભૂ ઉત્પન્ન થયેલ શિવલિંગને અભિષેક કરવા માટે શિવલિંગની ઉપરના ભાગે થી આપોઆપ પાણી નીકળે છે. આ પાણી ક્યાંથી આવે છે, તે પણ આજે એક રહસ્યનો વિષય બન્યો છે.ભક્તો શિવલિંગની ઉપરના ભાગેથી નીકળતા પાણીને ગંગાજળ પણ કહે છે .

    MORE
    GALLERIES

  • 58

    Panchmahal: ગુજરાતનું રહસ્યમય શિવ મંદિર, અહીં દર વર્ષે શિવલિંગ ચોખાના દાણા જેટલું વધતું હોવાનો દાવો!

    લોકોની માન્યતા મુજબ, આ શિવલિંગ 5000 વર્ષ પૂર્વે આપો આપ જમીન માંથી પ્રગટ થયેલ છે, અહીં રાજવી કાડમાં લુણાવાડા સ્ટેટના મહારાજા તેમજ પાટણ સ્ટેટના મહારાજા પણ અહીંયા દર્શન કરવા આવતા હતા . આ શિવલિંગ મરડ પથ્થરમાંથી બનેલું હોવાનું હોવાથી અહી ની જગ્યાનું નામ મરડેશ્વર પાડવામાં આવ્યું છે, તેમ લોકો માને છે.

    MORE
    GALLERIES

  • 68

    Panchmahal: ગુજરાતનું રહસ્યમય શિવ મંદિર, અહીં દર વર્ષે શિવલિંગ ચોખાના દાણા જેટલું વધતું હોવાનો દાવો!

    લોકોની માન્યતા મુજબ, મરડેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ શિવલિંગ દર શિવરાત્રીની રાત્રીએ એક ચોખાના દાણા જેટલો સ્વયંભુજ વધે છે .શિવલિંગના કદ વધવાની લોકોની માન્યતા અને લોકોની શ્રદ્ધાને કારણે, મહાશિવરાત્રીના દિવસે અહીં હજારોને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવાલયના દર્શન કરવા માટે આવતા હોય છે અને ભગવાન શિવને દૂધનો અભિષેક ચઢાવીને તેમને બીલીપત્ર ધરાવી ,તેમની પૂજા કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેમ પ્રાર્થના કરતા હોય છે. શિવરાત્રીના દિવસે રાત્રિના સમયે અહીં મહાઆરતી પણ કરવામાં આવે છે. આજે પણ ભક્તોની શ્રદ્ધા મરડેશ્વર મહાદેવના દાદા પ્રત્યે અડગ છે.

    MORE
    GALLERIES

  • 78

    Panchmahal: ગુજરાતનું રહસ્યમય શિવ મંદિર, અહીં દર વર્ષે શિવલિંગ ચોખાના દાણા જેટલું વધતું હોવાનો દાવો!

    જો તમે મરડેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લેવા માંગો છો, તો આ મંદિર ગોધરા લુણાવાડા હાઇવેને અડીને રસ્તા પર જ આવેલ છે. જે શહેરાથી આશરે 5 કિલોમીટર દુર અને લુણાવાડા થી આશરે ૧૮ થી ૨૦ કિલોમીટર દુર આવેલ છે.

    MORE
    GALLERIES

  • 88

    Panchmahal: ગુજરાતનું રહસ્યમય શિવ મંદિર, અહીં દર વર્ષે શિવલિંગ ચોખાના દાણા જેટલું વધતું હોવાનો દાવો!

    મરડેશ્વર મહાદેવ મંદિરથી આશરે 20 કિલોમીટરના અંતરે જ ચાંદલગઢ આવેલ છે ,જે એક પીકનીક પોઇન્ટની સાથે સાથે મસ્ત મજાનું ફરવા લાયક સ્થળ અને ખોડિયાર માતાજીનું મંદિર છે. જેની પણ અવશ્ય મુલાકાત લેવા જેવી છે.

    MORE
    GALLERIES