Home » photogallery » north-gujarat » સાબરકાંઠા: ગામમાં દીકરીઓનો જન્મદર વધારવા માટે સરપંચે લીધો અનોખો સંકલ્પ

સાબરકાંઠા: ગામમાં દીકરીઓનો જન્મદર વધારવા માટે સરપંચે લીધો અનોખો સંકલ્પ

આ ગામના સરપંચે કર્યું છે જ કૈક એવું કે ગામના લોકો હવે દીકરીના જન્મ વખતે દીકરાના જન્મ જેટલી જ ખુશી અનુભવી રહ્યા છે.

  • 16

    સાબરકાંઠા: ગામમાં દીકરીઓનો જન્મદર વધારવા માટે સરપંચે લીધો અનોખો સંકલ્પ

    ઈશાન પરમાર, સાબરકાંઠા: દીકરીને ઘરની લક્ષ્મી કહેવાય છે. જો કે સાબરકાંઠા જીલ્લાનું એક ગામ એવું પણ છે કે જ્યાં દીકરીનો જન્મ થતાની સાથે જ તે પોતાના ઘરે લક્ષ્મી લઈને આવે છે. હા, આ ગામના સરપંચે કર્યું છે જ કૈક એવું કે ગામના લોકો હવે દીકરીના જન્મ વખતે દીકરાના જન્મ જેટલી જ ખુશી અનુભવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 26

    સાબરકાંઠા: ગામમાં દીકરીઓનો જન્મદર વધારવા માટે સરપંચે લીધો અનોખો સંકલ્પ

    અમે વાત કરી રહ્યા છીએ તલોદ તાલુકાનું બડોદરા ગામની. આ ગામમાં કોઈના ઘરે દીકરીનો જન્મ થયા તો લક્ષ્મી રૂપી એ દીકરી લક્ષ્મી લઈને જ ઘરે આવે છે. હા, વાત જાણે એમ છે કે, બડોદરા ગામના સરપંચે છેલ્લા બે વર્ષથી એક આવકારદાયક પહેલ કરી છે. તેઓ જે કોઈના ઘરે દીકરી જન્મે કે તેના એક કલાકની અંદર જ એ દીકરીના ઘરે જઈને તેના હાથમાં ૧૦૦૦ રૂપિયા તેના જન્મની વધામણીનાં રૂપે આપી દે છે.

    MORE
    GALLERIES

  • 36

    સાબરકાંઠા: ગામમાં દીકરીઓનો જન્મદર વધારવા માટે સરપંચે લીધો અનોખો સંકલ્પ

    આ મામલે સરપંચ કલ્યાણસિંહ ઝાલાએ જણાવ્યું કે, 'બેટી બચાવો, બેટી પઢાવો, દીકરી સાપનો ભારો નથી એ તો તુલસીનો ક્યારો છે. હાલમાં દેશમાં દીકરીઓની સંખ્યા દીકરાઓની તુલનામાં ઓછી છે, જેને પગલે મે આ માટે કઈ કરવાનું વિચાર્યું, અને ફૂલ નહીં તો ફૂલની પાખડી તરીકે હું ગામમાં જેના પણ ઘરે દીકરી જન્મ લે તે દીકરીને 1000 રૂપિયા આપી પરિવારને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અમારા ગામમાં દીકરીઓની સંખ્યા ખુબ ઓછી છે. આવી પહેલ જો દરેક ગામ કરે તો, દેશમાં દીકરીઓની સંખ્યા વધારવામાં મહત્વનું પગલું સાબિત થઈ શકે છે.'

    MORE
    GALLERIES

  • 46

    સાબરકાંઠા: ગામમાં દીકરીઓનો જન્મદર વધારવા માટે સરપંચે લીધો અનોખો સંકલ્પ

    આમ તો ૫૦૦૦ લોકોની વસ્તી ધરાવતા બડોદરા ગામના સરપંચ નાત-જાતના કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના કોઈના પણ ઘરે દીકરી અવતરે ત્યાં પહોચી જાય છે..અને એ દીકરીની જન્મની વધામણી રૂપે તેના હાથમાં ૧૦૦૦ રૂપિયા આપી આવે છે. ત્યારે ગ્રામ જનો પણ હવે સરપંચની આ અનોખી પહેલને આવકારી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 56

    સાબરકાંઠા: ગામમાં દીકરીઓનો જન્મદર વધારવા માટે સરપંચે લીધો અનોખો સંકલ્પ

    સ્થાનીક લોકોનું કહ્વું છે કે, અમારા ગામના સરપંચ દ્વારા દીકરીઓનો જન્મદર વધે તે માટે એક સારી પહેલ શરૂ કરી છે. તથા સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવોની વાતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત સરપંચ દ્વારા આ પ્રકારની પહેલને ગ્રામજનો બીરદાવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 66

    સાબરકાંઠા: ગામમાં દીકરીઓનો જન્મદર વધારવા માટે સરપંચે લીધો અનોખો સંકલ્પ

    કલ્યાણસિંહ ઝાલાએ અત્યાર સુધીમાં ૪૦ વધુ લક્ષ્મીરૂપી દીકરીઓને ૧૦૦૦ રૂપિયા આપીને પોતાનો આ નિયમ જાળવી રાખ્યો છે, અને જીવનના છેલ્લા શ્વાસ સુધી આ નિયમ જાળવી રાખવાની તેમણે પ્રાણ પણ લીધું છે.

    MORE
    GALLERIES