Home » photogallery » north-gujarat » બનાસકાંઠામાં ટ્રેક્ટરે અડફેટે લેતા બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત; સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

બનાસકાંઠામાં ટ્રેક્ટરે અડફેટે લેતા બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત; સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

Sabarkantha district accident: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવલપુર પાટિયા પાસે ગમખ્વાર અકસ્માતમાં બે યુવકનાં મોત થયા છે. વિજાપુર રોડ ખાતે આ અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવકનાં મોત થયા છે.

  • 16

    બનાસકાંઠામાં ટ્રેક્ટરે અડફેટે લેતા બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત; સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

    અમદાવાદ: રાજ્યમાં આજે અકસ્માતના અલગ અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા અકસ્માતમાં કુલ ત્રણ યુવકનાં મોત થયા છે. સાબરકાંઠામાં બે અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક મોત થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જ થયેલા વધુ એક અકસ્માતમાં 12થી વધારે લોકો ઘાયલ થયા છે.

    MORE
    GALLERIES

  • 26

    બનાસકાંઠામાં ટ્રેક્ટરે અડફેટે લેતા બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત; સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

    સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવલપુર પાટિયા પાસે ગમખ્વાર અકસ્માતમાં બે યુવકનાં મોત થયા છે. વિજાપુર રોડ ખાતે આ અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવકનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે હિંમતનગરથી આવતા બાઇક ચાલકને વિજાપુર તરફથી આવતા એક ટ્રેક્ટર ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ બે યુવકનાં રામ રમી ગયા હતા. આ અંગે માહિતી મળતા જ સ્થાનિક લોકો તેમેજ પોલીસ દોડી આવી હતી.

    MORE
    GALLERIES

  • 36

    બનાસકાંઠામાં ટ્રેક્ટરે અડફેટે લેતા બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત; સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

    સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે મૂળી રોડ પર મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટે એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે આ કેસમાં ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.

    MORE
    GALLERIES

  • 46

    બનાસકાંઠામાં ટ્રેક્ટરે અડફેટે લેતા બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત; સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

    અકસ્માત બાદ યુવકનો મૃતદેહ રસ્તા પર એમ જ પડી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરી હતી.

    MORE
    GALLERIES

  • 56

    બનાસકાંઠામાં ટ્રેક્ટરે અડફેટે લેતા બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત; સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

    સુરેન્દ્રનગર: અમદાવાદ-રાજકોટ હાઇવે પર લીંબડી નજીક વસ્તડીના પાટીયા પાસે થયેલા એક અકસ્માતમાં 12થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ખાનગી લકઝરી બસ પલટી ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 66

    બનાસકાંઠામાં ટ્રેક્ટરે અડફેટે લેતા બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત; સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

    અકસ્માતમાં 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને લીંબડી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. મળતી માહિતી પ્રમાણે ખાનગી લકઝરી બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. બસ સોમનાથથી અમદાવાદ ખાતે જઈ રહી હતી. અકસ્માત બાદ 5થી વધારે 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

    MORE
    GALLERIES