Home » photogallery » north-gujarat » રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

Arvind Trivedi Idar house: ગુજરાતી ફિલ્મના દિગ્ગજ મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું નિધન થતા લોકો તેમના ઘર અન્નપૂર્ણા ખાતે આવીને દર્શન કરી રહ્યા છે.

  • 114

    રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

    ઈશાન પરમાર, સાબરકાંઠા: ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi)નુ ગત રાત્રીએ દુઃખદ અવસાન થતા ઈડર (Idar) પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકો તેમના નિવાસસ્થાને (Arvind Trivedi house) આવીને તેમને યાદ કરી રહ્યા છે. તેઓએ 300થી વધુ ગુજરાતી ફિલ્મો (Gujarati movies)માં કામ કર્યું છે. તેમના અવસાનથી તેમના વતનના લોકો જ નહીં પરંતુ દેશના લાખો લોકો દુઃખી થાય છે. રામાયણ ધારાવાહિક (Ramayan TV serial)માં તેમણે રાવણ (Raavan)નું પાત્ર ભજવ્યું હતું. ઇડર ખાતે તેમનો બંગલો આવેલો છે. જ્યારે તેમનું જૂનું મકાન ઇડરના કુકડિયા ગામ (Kukadiya Village) ખાતે આવેલું છે. ઇડર ખાનાને બંગલો ખાતે તેમણે નામ પ્લેટમાં 'લંકેશ' લખાવ્યું છે. જ્યારે ઘરમાં પ્રવેશદ્વારા પર 'રામ' લખેલું છે. રામાયણમાં 'રાવણ'નું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી હકીકતમાં રામ ભક્ત હતા. તેમણે પોતાના ઘરમાં ભગવાન રામ તેમજ ભગવાન શિવની મૂર્તિની સ્થાપના કરાવી હતી. અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્ય પ્રદેશમાં થયો હતો. જે બાદમાં તેઓ કુકડિયા ગામ ખાતે આવ્યા હતા. બાદમાં ઇડર રહેવા લાગ્યા હતા. (ઇનસેટમાં જૂનું ઘર)

    MORE
    GALLERIES

  • 214

    રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

    ગુજરાતી ફિલ્મના દિગ્ગજ મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું નિધન થતા લોકો તેમના ઘર અન્નપૂર્ણા ખાતે આવીને દર્શન કરી રહ્યા છે. રામાયણ સીરિયલમાં જેમણે રાવણનું પાત્ર ભજવ્યું હતું તેવા અરવિંદ ત્રિવેદી હકીકતમાં મોટા રામ ભક્ત છે. તેમણે તેમણે કથાકાર મોરારિ બાપુના હસ્તે ઘરમાં રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી.

    MORE
    GALLERIES

  • 314

    રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

    ટીવી સીરિયલ 'રામાયણ' સૌથી લોકપ્રિય શો છે. આ શો 1987માં ટેલિકાસ્ટ થયો હતો. જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. રાવણની પ્રખ્યાત ભૂમિકા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ભજવી હતી. આ પાત્ર ભજવીને તેઓેએ ખુબજ ખ્યાતિ મેળવી હતી.

    MORE
    GALLERIES

  • 414

    રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

    જે બાદથી જ તેઓ ભગવાન રામની પૂજા કરવા લાગ્યા હતા. દર રામનવમીએ તેઓ અહીં જ ભગવાન રામની પૂજા કરતા હતા. રાત્રિ દરમિયાન સુંદરકાંડનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા.

    MORE
    GALLERIES

  • 514

    રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

    અરવિંદ ત્રિવેદી મૂળ ઈડરના કુકડિયા ગામના હતા. કુંકડીયા ગામ ખાતે તેમનુ જૂનું મકાન હાલ પણ હયાત છે. તેમનો એક બંગલો ઈડર રોડ પર પણ છે. વર્ષમાં સાતથી આઠ વખત તેઓ અન્નપૂર્ણા નામના બંગલા ખાતે આવતા હતા. તેઓ અહીં 5-10 દિવસનું રોકાણ કરતા હતા.

    MORE
    GALLERIES

  • 614

    રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

    તેમણે બંગલાની દીવાલ પર શિવ તાંડવ સ્ત્રોત લખાવ્યો છે. ઘરમાં અનેક જગ્યાએ રામ લખેલું છે. આ ઉપરાંત પટાંગણમાં જ લંકેશ્વર મહાદેવની પણ સ્થાપના કરી છે.

    MORE
    GALLERIES

  • 714

    રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

    અરવિંદ ત્રિવેદી પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર હતા. અનેકવાર તેઓ ઈડર ખાતે આવતા હતા અને સાથે જ રામની પૂજા કરતા હતા.

    MORE
    GALLERIES

  • 814

    રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

    ભાઈના અવસાન બાદ અરવિંદ ત્રિવેદી એકલા પડી ગયા હતા. આજે તેઓએ પણ દુનિયાને અલવિદા કરી દીધી છે. અહીં રહેતા લોકો તેમને દાદા કે સાહેબ જ કહેતા હતા. તેઓ પણ તમામ લોકોને દીકરા કે દીકરી તરીકે રાખતા હતા. સાથે જ તેઓ સેવા કાર્યો પણ કરતા હતા. તેઓ અંબાજી જતા પદયાત્રીઓની સેવા કરતા હતા.

    MORE
    GALLERIES

  • 914

    રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

    આંમ તો અરવિંદ ત્રિવેદીએ લગભગ 300થી વધુ ગુજરાતી ફિલ્મો, અનેક નાટકો અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. આથી તેમને ગુજરાતી ફિલ્મના ભિષ્મ પિતામહ પણ કહેવામાં આવતા હતા. ભલે તેમણે દુનિયામાંથી વિદાય લીધી હોય પરંતુ લોકોની યાદમાં તેઓ હંમેશા અમર રહેશે.

    MORE
    GALLERIES

  • 1014

    રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

    કુકડીયા ગામ ખાતે અરવિંદ ત્રિવેદીનું જૂનું ઘર આવેલું છે.

    MORE
    GALLERIES

  • 1114

    રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

    ઇડર ખાતેના ઘરની દીવાલ પર અરવિંદ ત્રિવેદીએ શિવ તાંડવ સ્ત્રોત લખાવ્યો છે.

    MORE
    GALLERIES

  • 1214

    રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

    ઇડર ખાતેના ઘર ખાતે જૂની યાદો સાથેની તસવીરો જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 1314

    રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

    અરવિંદ ત્રિવેદીના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી સિનેમાનો દિગ્ગજ કલાકાર હતા.

    MORE
    GALLERIES

  • 1414

    રામાયણના 'લંકેશ' હકીકતમાં હતા રામ ભક્ત: ઇડરના ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે 'લંકેશ', પ્રવેશ દ્વાર પર 'રામ'

    ઉપેન્દ્ર અને અરવિંદ ત્રિવેદી.

    MORE
    GALLERIES