Home » photogallery » north-gujarat » કરુણ ઘટના! પાટણઃ કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમ શ્વાસ

કરુણ ઘટના! પાટણઃ કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમ શ્વાસ

પરિવારે લગ્નની કંકોત્રી પણ સ્વજનોને વહેચી દીધી હતી. જે ઘરમાં લગ્નના ગીતો ગવાના હતા ત્યાં ભાઈ-બહેનના મોતનો માતમ છવાયો છે. બ્રાહ્મણ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

  • 16

    કરુણ ઘટના! પાટણઃ કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમ શ્વાસ

    અશરફખાન, પાટણઃ કોરોના વાયરસે (coronavirus) અત્યારે ચારેબાજુ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે કોરોના વાયરસના કારણે લોકો (corona death toll) ટપોટપ મરી રહ્યા છે. કોરોનાએ અનેક પરિવારોને ઉજાડી નાંખ્યા છે. ઠેરઠેર હૃદયદ્રાવક ઘટનાઓ પણ સર્જાઈ રહી છે. પાટણ (patan) જિલ્લામાં વધુ એક કરુણ ઘટના બની હતી. પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામમાં કોરોના વાયરસ ભાઈ અને બહેનને એક સાથે જ ભરખી ગયો હતો. એટલું જ નહીં ભાઈએ તો પોતાના લગ્નના દિવસે (bother died on marriage day) જ અંતિમશ્વાસ લીધા હતા. આમ બ્રાહ્મણ પરિવાર પર (brahman family) આભ તૂટી પડ્યું હતું. જે ઘરમાં લગ્નની શરણાઈઓ વાગવાની હતી ત્યાં માતમ છવાયો છે.

    MORE
    GALLERIES

  • 26

    કરુણ ઘટના! પાટણઃ કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમ શ્વાસ

    પાટણ તાલુકાના ચંદ્રુમાણાગામના વતની મહેશભાઈ અંબાલાલ દવે છેલ્લા 20 વર્ષોથી મહેસાણા ખાતે સ્થાઈ થયેલા હતા. તેમને સંતાનમાં એક દીકરો જય અને દીકરી પૂજા હતી. આ પરિવારને 15 એપ્રિલે કોરોના સકંજામાં લઇ લેતા બંને ભાઈ બહેન ને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારે બેન ની તબિયત વધારે નાજુક હોવાથી કોઈ જગ્યાએ વેન્ટિલેટરની સગવડ ન મળતાં આખરે ભાવનગર ખાતે લઈ ગયા હતા

    MORE
    GALLERIES

  • 36

    કરુણ ઘટના! પાટણઃ કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમ શ્વાસ

    ત્યાં ભાવનગર ખાતે 21 એપ્રિલના રોજ પૂજાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાજુ અમદાવાદ ખાતે જય સારવાર લઇ રહ્યા હતા ત્યાંથી રિફર કરી મહેસાણા ખાતે ગેલેક્સી હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારે રવિવારે રાત્રે જયની તબિયત વધુ ખરાબ થતા સોમવાર સવારે ચાર વાગે સારવાર દરમિયાન જયનું મોત થયું હતું.

    MORE
    GALLERIES

  • 46

    કરુણ ઘટના! પાટણઃ કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમ શ્વાસ

    શરણાઈના સુર માતમમાં ફેરવાઈ ગયા: જય કુમાર મહેશભાઈ દવે તેમના લગ્નની કંકોત્રી પણ સ્વજનોમાં વેચાવી હતી તારીખ 24 એપ્રિલ 2021ને ધણી વારે સવારે ગણેશ થાપણ બપોરે ભોજન સમારોહ રાત્રે રાસ ગરબા અને રવિવારે સવારે રામોસણા થી જાન પ્રસ્થાન થઈ મહેસાણા સરદાર હોલ ખાતે પહોંચશે ત્યાં બપોરે હસ્ત મેળાપ રાખ્યો હતો. આ બંને એકબીજાને પ્રેમ સંબંધોથી પાંગરેલો પ્રેમ લગ્ન સુધી પહોંચ્યો હતો. પણ કુદરતે જે સમયે ઘરે શરણાઈના સૂર વાગતા હોય તે તારીખે માતમ નું ફેરવી દીધી.તેવું મૃતકના ભાઈ કરણ દવે જણાવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 56

    કરુણ ઘટના! પાટણઃ કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમ શ્વાસ

    ભાઈ પરણાવવાના અધૂરા ઓરતે જિંદગી થી વિદાય લીધી: જયના લગ્નમાં માંડવાના મોઘેરા મહેમાન બનીને આવનાર મોટી બહેન પૂજાબેન વિરેન્દ્રકુમાર પંડ્યા તેઓનું ભાઈ પરણાવવાના અધુરા ઓરતા 21 એપ્રિલના રોજ કોરોના ની સારવાર દરમિયાન ભાવનગર ખાતે મોત થયું હતું.

    MORE
    GALLERIES

  • 66

    કરુણ ઘટના! પાટણઃ કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમ શ્વાસ

    તેમને ભાઈના લગ્ન માટે ચણીયા ચોળી સહિત અવનવા શણગારો સહિત રૂપિયા 70,000ની ખરીદી બહેને તૈયાર થવા માટે કરી હતી. તેમના મોત બાદ લગ્ન મોકૂફ રાખ્યા હતા. અને જેની સારવાર ચાલુ હતી બહેનના મોતની વાત પણ જઈને જણાવી નહોતી. તેવું મામા હર્ષદભાઈ દવેએ જણાવ્યું હતું.

    MORE
    GALLERIES