Home » photogallery » north-gujarat » ગાંધીનગર અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ખૂલશે, નોંધી લો દર્શનનો સમય

ગાંધીનગર અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ખૂલશે, નોંધી લો દર્શનનો સમય

મંદિર તરફથી હાલમાં દરેક એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે દરરોજ સાંજે 7.15ના સત્ ચિત્ આનંદ વોટર શોનું પણ આયોજન કરવામાં આવશે.

  • 14

    ગાંધીનગર અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ખૂલશે, નોંધી લો દર્શનનો સમય

    ગાંધીનગરના પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર (Akshardham Mandir, Gandhinagar) દશેરાના (25th October, Dussehra) દિવસથી એટલે કે, 25 ઓક્ટોબરના રોજ ખોલવામાં આવશે. કોરોના મહામારીને પગલે 19 માર્ચથી અક્ષરધામ મંદિર દર્શાનાર્થીઓ માટે બંધ કરાયુ છે.

    MORE
    GALLERIES

  • 24

    ગાંધીનગર અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ખૂલશે, નોંધી લો દર્શનનો સમય

    લગભગ 7 મહિનાના બાદ ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરને ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મંદિર આગામી 25 ઓક્ટોબરથી ભક્તો માટે દર્શનાર્થે ખોલવામાં આવશે. જે દિવસે દશેરા પણ છે. મંદિરમાં સાંજે 5થી 7.30 સુધી દર્શન કરી શકાશે. અક્ષરધામ મંદિરમાં થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી હેન્ડ સેનેટાઈઝ કર્યા બાદ માસ્ક સાથે જ લોકોને પ્રવેશ આપવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. મંદિરની સાથે સાથે બુક્સ- ગિફ્ટસ સ્ટોર, ગાર્ડન અને ફૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 34

    ગાંધીનગર અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ખૂલશે, નોંધી લો દર્શનનો સમય

    મંદિર તરફથી હાલમાં દરેક એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે દરરોજ સાંજે 7.15ના સત્ ચિત્ આનંદ વોટર શોનું પણ આયોજન કરવામાં આવશે. દર સોમવારે અક્ષરધામ બંધ રહેશે.

    MORE
    GALLERIES

  • 44

    ગાંધીનગર અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ખૂલશે, નોંધી લો દર્શનનો સમય

    આ અંગે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ એક યાદીમાં જણાવ્યું છે કે, 'અક્ષરધામમાં દરરોજ સાંજે 5થી 7.30 દરમિયાન જ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. હાલના તબક્કે અક્ષરધામ મંદિરમાં દર્શન થઇ શકે તેવી જ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

    MORE
    GALLERIES