ઇસ્લામાબાદ : લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનના એક દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મોટું નિવેદન આપ્યું છે. ઇમરાન ખાન ઇચ્છે છે કે ભારતમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બને. ઇમરાન ખાનના આવા માનવા પાછળ એક ખાસ કારણ રહેલું છે. નોંધનીય છે કે પુલવામાં હુમલા અને બાદમાં ભારત તરફથી પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ હાલ બંને દેશ વચ્ચે સંબંધો ઘણા તણાવભર્યા છે. આ દરમિયાન ઇમરાન ખાનનું આવું નિવેદન ઘણું સૂચક છે.