અલકાયદાના (Al-Qaeda) ચીફ અયમાન-અલ-જવાહિરીનું અમેરિકાના ડ્રોન હુમલામાં (US Killed Al-Qaeda Chief Ayman al-Zawahiri) મોત થયું છે. અમેરિકાએ જવાહિરીને મારવા માટે R9X હેલફાયર મિસાઇલનો (R9X Hellfire Missile)ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલ ખાસ ટેકનિક પર કામ કરે છે અને કોઇ પ્રકારનો બ્લાસ્ટ કરતી નથી. જવાહિરીના (Ayman al-Zawahiri)ઘરની જે તસવીર સામે આવી છે ત્યા વિસ્ફોટના કોઇ સંકેત જોવા મળી રહ્યા નથી. (તસવીર - ગેટી)
જવાહિરીનો જીવ પણ આવા ધારદાર બ્લેડ્સે લીધો છે. R9X હેલફાયર મિસાઇલમાં ઇનબિલ્ટ સેન્સર લાગેલા હોય છે જે ફક્ત ટાર્ગેટને નિશાન બનાવે છે. આ મિસાઇલ લેઝરથી લેસ હોય છે અને જેવી ટાર્ગેટ પર ડ્રોપ કરવામાં આવે જેનાથી બચવું અશક્ય બની જાય છે. R9X હેલફાયર મિસાઇલ દુનિયાની સૌથી વધારે એડવાન્સ હથિયારોમાંથી એક છે જે પલક ઝપકાવતા જ દુશ્મનને ઢેર કરે છે. આ મિસાઇલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં બારુદ હોતો નથી. મિસાઇલમાંથી ચાકુ જેવા બ્લડ નીકળે છે જે કોઇને કાપી નાખે છે. (તસવીર - ગેટી)
રોયટર્સના રિપોર્ટ પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સોમવારે જવાહિરીના મોતની જાણકારી આપી હતી. આતંકી જવાહિરીના માથે 25 મિલિયન ડોલરનું ઇનામ હતું. 11 સપ્ટેમ્બર 2001માં અમેરિકામાં થયેલા હુમલામાં જવાહિરી સામેલ હતો, જેમાં લગભગ 3000 લોકોના મોત થયા હતા. રોયટર્સના મતે ગોપનીયતાની શરત પર અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર રવિવારે સવારે ડોન સ્ટ્રાઇક કરી હતી. વ્હાઇટ હાઉસમાં આપેલા સંબોધનમાં બાઇડેને કહ્યું કે હવે ન્યાય થઇ ગયો છે અને હવે આ આતંકી નેતા રહ્યો નથી.