નીતા અંબાણી સાંસ્કૃતિક કેન્દ્રનું ઉદ્ઘાટન ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવ્યું. નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર ભારતનું પ્રથમ મલ્ટિડિસિપ્લિનરી કલ્ચરલ સેન્ટર મુંબઈમાં ખુલ્યું છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ગ્લોબલ મ્યુઝિયમ સ્ટાન્ડર્ડ્સ હેઠળ બનાવવામાં આવ્યું છે. અહીં ભારત અને વિશ્વભરના કલાત્મક પ્રદર્શનોને સંરક્ષિત કરવામાં આવશે. આ સાંસ્કૃતિક કેન્દ્ર હાઇટેક સુવિધાઓથી સજ્જ છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ડાયમંડ બોક્સ, સ્ટુડિયો થિયેટર, આર્ટ હાઉસ અને પબ્લિક આર્ટ છે. મુલાકાતીઓ આ કેન્દ્રમાં વિશ્વ કક્ષાનો અનુભવ મેળવી શકશે. ગ્રાન્ડ થિયેટરનો દરેક શો દર્શકો માટે એક આકર્ષક અનુભવ બની રહેશે. એ જ રીતે એક સંકલિત ડોલ્બી એટમોસ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને વર્ચ્યુઅલ સાઉન્ડ સિસ્ટમ પણ બિલ્ટ ઇન છે. સાંસ્કૃતિક કેન્દ્રમાં 3 હાઇટેક સ્ટુડિયો હશે. જેમાં 2,000 સીટનું ગ્રાન્ડ થિયેટર, 250 સીટનું એડવાન્સ સ્ટુડિયો થિયેટર અને 125 સીટનું ડાયનેમિક ક્યુબ થિયેટર સામેલ છે. ઉપરાંત આ સાંસ્કૃતિક કેન્દ્રમાં 4 માળની આર્ટ ગેલેરી છે. NMACCમાં બોલતા નીતા અંબાણીએ કહ્યું કે, 'અમે ભારતીય કળાના સંરક્ષણ અને પ્રચાર માટે પ્રતિબદ્ધ છીએ.'