નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને ફેલાવાને લઈ એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોના શરીરે આ સંક્રમણની વિરુદ્ધ એન્ટીબોડી (Antibody) બનાવી લીધી છે તેમને તેના બીજી વારના સંક્રમણનો ખતરો નથી રહેતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના સિઅટલથી એક માછલી પકડવાનું જહાજ રવાના થયું હતું. તેમાં આવા જ 3 લોકો મળી આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
આ શોધ શુક્રવારે પ્રીપ્રિંટ સર્વર મેડરિક્સ પર પ્રકાશિત કરવામાં આવી હતી. આ શોધને યુનિવર્સિટી ઓફ વોશિંગટન અને સિએટલના ફ્રેડ હચ કેન્સર રિસર્ચ સેન્ટરના શોધકર્તાઓએ હાથ ધર્યો છે. આ શોધના નિષ્કર્ષ મહત્વપૂર્ણ છે કારણ કે તે ચીજોને લગભગ પુષ્ટ કરે છે કે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે વેક્સીનનો ઉપયોગ કરનારી દુનિયાની મુખ્ય રણનીતિ હકિકતમાં મહામારીને રોકવા માટે કામ કરી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)