

ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં રાજસ્થાનના પાંચ જવાન શહીદ થઈ ગયા. શહીદોમાં કોટાના હેમરાજ મીણા, જયપુરના રોહિતાશ લાંબા, ધૌલપુરના ભાગીરથસિંહ, ભરતપુરના જીતરામ ગુર્જર અને રાજસમંદના નારાયણ ગુર્જર સામેલ છે. પુલવામામાં અવંતીપોરામાં નેશનલ હાઇવે પર વિસ્ફોટકોથી ભરેલી કારને સીઆરપીએફ સાથે સાથે ટકરાવવામાં આવી. બસમાં કુલ 44 જવાન સવાર હતા. જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી અને આ આત્મઘાતી હુમલાને આદિલ અહમદ ડારે અંજામ આપ્યો.


શહીદ રોહિતાશ લાંબા ગામ ગોવિંદપુરા બાંસડીના રહેવાસી હતા. એક વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા. તેમને ત્રણ મહિનાની દીકરી પણ છે. બાળકને જોવા માટે રોહિતાશ હોળી પર ઘરે આવવાના હતા, પરંતુ તે પહેલા જ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં તેઓ શહીદ થઈ ગયા. તેમના શહાદતના સમાચારથી સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું.


સીઆરપીએફની 61મી બટાલિયનના હેમરાજ મીણા કોટા જિલ્લાના સાંગોદના વિનોદ કલા ગામના રહેવાસી હતા. સીઆરપીએફના જમ્મૂ કેમ્પથી રાતે 10 વાગ્યાની આસપાસ તેમની પત્ની મધુ ઉપર ફોન આવ્યો જેમાં હેમરાજ મીણા શહીદ થયા હોવાની જાણ કરવામાં આવી. મધુએ શહીદના વૃદ્ધ પિતાને આઘાત ન લાગે એટલા માટે આખી રાત માથાનું સિંદૂર ન લૂછ્યું. તેની જાણકારી મોટા ભાઈ રામવિલાસ મીણાને પહેલા કરી.


ભરતપુરના સુંદરવલી ગામના રહેવાસી જવાન જીતરામ ઘરેથી બે દિવસ પહેલા જ પુલવામા ગયા હતા. શહીદ જીતરામે 2010માં સીઆરપીએફ જોઇન કર્યું હતું. તેમના લગ્ન લગભગ 5 વર્ષ પહેલા થયા હતા અને ઘરમાં કમાનારા તેઓ એકલા હતા. તેમના શહીદ થયા બાદ આજે ઘરમાં કમાનારું હાલ કોઈ નથી.


ધૌલપુર જિલ્લાના રાજાખેડાના રહેવાસી શહીદ ભાગીરથસિંહ 6 વર્ષ પહેલા જ સીઆરપીએફની 46મી બટાલિયનમાં ભરતી થયા હતા. 1 મહિનાથી રજા પર ગામ આવ્યા હતા અને બે દિવસ પહેલા જ સોમવારે પોતાના ગામથી ડ્યૂટી માટે ગયા હતા, ત્યારે ડ્યૂટી જવા દરમિયાન થયેલા આતંકી હુમલામાં તેઓ શહીદ થયા.