Home » photogallery » national-international » કોરોનાના વધતા કેસોને લઈને સરકાર એક્શન મોડમાં, PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ તાત્કાલિક બેઠક

કોરોનાના વધતા કેસોને લઈને સરકાર એક્શન મોડમાં, PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ તાત્કાલિક બેઠક

ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. એક મહિના પહેલા જ્યાં કોવિડ-19 સંક્રમણના કુલ નવા કેસ દેશભરમાં 100 ની અંદર રહ્યા હતા, હવે દેશભરમાં દરરોજ લગભગ 1000 નવા કેસ નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિ અને જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

  • 18

    કોરોનાના વધતા કેસોને લઈને સરકાર એક્શન મોડમાં, PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ તાત્કાલિક બેઠક

    નવી દિલ્હી. દેશમાં કોવિડ-19 સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન સ્થિતિ અને જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વધતા કોરોના કેસોને લઈને અનેક સુચનો પણ આપ્યા હતા.

    MORE
    GALLERIES

  • 28

    કોરોનાના વધતા કેસોને લઈને સરકાર એક્શન મોડમાં, PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ તાત્કાલિક બેઠક

    આ દરમિયાન, વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસને લઈને સાવચેતી અને તકેદારી રાખવાની સલાહ આપી હતી. PM એ તમામ ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) કેસોની લેબોરેટરી સર્વેલન્સ અને પરીક્ષણ વધારવાની અને જીનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

    MORE
    GALLERIES

  • 38

    કોરોનાના વધતા કેસોને લઈને સરકાર એક્શન મોડમાં, PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ તાત્કાલિક બેઠક

    આ સાથે, કોવિડ સામે સજ્જતા સુનિશ્ચિત કરવા, હોસ્પિટલોમાં ફરીથી મોક ડ્રીલનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો અને લોકોને કોવિડનું યોગ્ય વર્તન અનુસરવાની સલાહ આપી છે.

    MORE
    GALLERIES

  • 48

    કોરોનાના વધતા કેસોને લઈને સરકાર એક્શન મોડમાં, PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ તાત્કાલિક બેઠક

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના 1,134 નવા કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 7,026 થઈ ગઈ છે. સવારે આઠ વાગ્યે જારી કરાયેલા આંકડા મુજબ, સંક્રમણને કારણે પાંચ લોકોના મોત સાથે, મૃત્યુઆંક વધીને 5,30,813 થઈ ગયો છે.

    MORE
    GALLERIES

  • 58

    કોરોનાના વધતા કેસોને લઈને સરકાર એક્શન મોડમાં, PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ તાત્કાલિક બેઠક

    ગુજરાતમાં કોરોના વાયરસના નવા 247 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 124 કેસ નોંધાયા છે. જ્યારે 98 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણામાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ગઈકાલે ભરૂચના એક દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.

    MORE
    GALLERIES

  • 68

    કોરોનાના વધતા કેસોને લઈને સરકાર એક્શન મોડમાં, PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ તાત્કાલિક બેઠક

    તાજેતરના આંકડાઓમાં, કેરળ, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક મૃત્યુ નોંધાયા છે, જ્યારે કેરળમાં અગાઉના મૃત્યુ કોવિડ -19 થી હોવાની પુષ્ટિ થતાં સંબંધિત આંકડાઓમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, દૈનિક સંક્રમણ દર 1.09 ટકા અને સાપ્તાહિક ચેપ દર 0.98 ટકા હતો.

    MORE
    GALLERIES

  • 78

    કોરોનાના વધતા કેસોને લઈને સરકાર એક્શન મોડમાં, PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ તાત્કાલિક બેઠક

    જણાવી દઈએ કે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને દિલ્હીમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા છે. ઓમિક્રોમ વેરિઅન્ટની સબલાઇનેજ XBB.1.16 કોરોના વાયરસ ચેપના કેસોમાં આ અચાનક વધારા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 88

    કોરોનાના વધતા કેસોને લઈને સરકાર એક્શન મોડમાં, PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ તાત્કાલિક બેઠક

    એવું જોવામાં આવ્યું છે કે, જાપાનમાં શોધાયેલ કેસમાં એક નવું વેરિઅન્ટ મળી આવ્યું છે. એટલા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને તેમની દેખરેખ તાત્કાલિક ઠીક કરવા કહ્યું છે.

    MORE
    GALLERIES