

નવી દિલ્હીઃ આજે ગુરુ તેગ બહાદુરજીનો શહીદી દિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબ પહોંચ્યા. ખાસ વાત એ છે કે વડાપ્રધાન મોદીએ ગુરુદ્વારાની મુલાકાત અચાનક જ લીધી. આ મુલાકાત માટે કોઈ ખાસ પ્રકારના ટ્રાફિકની વ્યવસ્થા નહોતી કરવામાં આવી. (તસવીર સાભાર ટ્વીટર- @narendramodi)


ગુરદ્વારા પહોંચેલા PM મોદીએ ટ્વીટ કર્યું કે, આજે સવારે મેં ઐતિહાસિક ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબમાં પ્રાર્થના કરી. હું ખૂબ સારું અનુભવી રહ્યો હતો. હું દુનિયાભરના લાખો લોકોની જેમ જ ગુરુ તેગ બહાદુરજીની દયાળુતાથી ખૂબ પ્રેરિત થયો છું. (તસવીર સાભાર ટ્વીટર- @narendramodi)


એક અન્ય ટ્વીટમાં વડાપ્રધાને લખ્યું કે, આ ગુરુ સાહિબની વિશેષ કૃપા છે કે આપણે ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વને અમારી સરકારના કાર્યકાળમાં ઉજવી રહ્યા છીેઅ. આવો આ પ્રસંગે ઐતિહાસિક રીતે ઉજવાતા અને શ્રી તેગ બહાદુરજીના આદર્શોને અનુસરીએ. (તસવીર સાભાર ટ્વીટર- @narendramodi)


ઉલ્લેખનીય છે કે, ગુરુ તેગ બહાદુર શીખોના દસમા ગુરુઓમાંથી નવમા ગુરુ હતા. 17મી સદી (1621થી 1675) દરમિયાન તેઓએ શીખ ધર્મનો પ્રચાર કર્યો. તેઓ દસમા ગુરુ ગોવિંદ સિંહના પિતા હતા. શીખોના ગુરુ તરીકે તેમનો કાર્યકાળ 1665થી 1675 સુધીનો રહ્યો. (તસવીર સાભાર ટ્વીટર- @narendramodi)


ગુરુ તેગ બહાદુર ધર્મનો પ્રચાર કરવા માટે ઉત્તર અને પૂર્વ ભારતનું ભ્રમણ કર્યું. તેઓએ મુગલ સામ્રાજ્યના અન્યાયની વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો હતો. પોતાના અનુયાયીઓનો વિશ્વાસ અને ધાર્મિક સ્વતંત્રતા અને અધિકારોની રક્ષા માટે તેઓએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આ કારણે તેમને ‘હિંદ દી ચાદર’ પણ કહેવામાં આવે છે. (તસવીર સાભાર ટ્વીટર- @narendramodi)


નોંધનીય છે કે, જ્યારે વડાપ્રધાન મોદી ત્યાં પહોંચ્યા તો અહીં કોઈ વિશેષ બંદોબસ્ત નહતો અને ન તો કોઈ પ્રકારનું ટ્રાફિક ડાઇવર્જન કરવામાં આવ્યું. PM મોદી સવારમાં જ સામાન્ય વ્યક્તિની જેમ ગુરુદ્વારા રકાબ ગંજ પહોંચ્યા અને નમન કર્યું. (તસવીર સાભાર ટ્વીટર- @narendramodi)


આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીખ ગુરુના શહીદી દિવસ પર પંજાબીમાં ટ્વીટ કર્યું હતું. વર્ષ 1621માં જન્મેલા શીખના નવમા ગુરુ તેગ બહાદુર 1675કમાં દિલ્હીમાં શહી થયા હતા. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે, શ્રી ગુરુ તેગ બહાદુરજીનું જીવન સાહસ અને કરૂણાનું પ્રતીક છે. મહાન શ્રી ગુરુ તેગ બહાદુરની શહીદી દિવસ પર હું તેમને નમન કરું છું અને સમાવેશી સમાજના તેમના વિચારોને યાદ કરું છું. (તસવીર સાભાર ટ્વીટર- @narendramodi)