દેશમાં હાલ ચોમાસાની (Monsoon Weather) ઋતુ ચાલી રહી છે. જે મચ્છરજન્ય (Mosquito borne diseases) બિમારીમાં વધારો કરી રહી છે. એક તરફ કોરોના વાયરસ (Covid 19) અને બીજી તરફ મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવી બિમારી લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. જેના કારણે દેશના અનેક લોકો બિમાર થઇ રહ્યા છે. અને આ મચ્છર જન્ય બિમારીથી મૃત્યુદર પણ મોટો છે.
મચ્છરો સામાન્ય રીતે માણસની શ્વાસોશ્વાસની ક્રિયાથી બહાર છોડવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડથી તેમના સુધી પહોંચે છે. એક મીટર સુધી નજીક પહોંચીને શરીરની ગરમીથી મચ્છર નક્કી કરે છે કે જે તે વ્યક્તિને કરડવું છે કે નહીં? 5થી 15 મીટર દૂરના અંતરેથી જ મચ્છરને મનુષ્યની હાજરી ખબર પડે છે. જે બાદમાં તેઓ મનુષ્યની વધારે નજીક આવે છે. એક મીટર દૂર રહીને કરડવું કે નહીં તે નક્કી કરે છે.