ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરથી લગભગ સો કિમી દૂર ઈશાન ખૂણામાં આવેલ આગર માલવા જિલ્લામાં છે. જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિમી દૂર નલખેડામાં લખુન્દર નદીના તટ પર પૂર્વી દિશામાં વિરાજમાન છે મા બગલામુખી. મંદિરની નજીકનું એરપોર્ટ ઈન્દોર છે. તેનુ અંતર ઉજ્જૈનથી આવવા પર 160 કિમી પડે છે. આ ઉપરાંત નલખેડા પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન ઉજ્જૈન છે. અહીંથી મંદિરનું અંતર 100 કિમી છે. આગર માલવા જિલ્લા ઈન્દોર અને ઉજ્જૈન ઉપરાંત ભોપાલ, કોટા અને અન્ય શહેરોથી રોડ માર્ગ જઈ શકાશે.
નવરાત્રિમાં બગલામુખી મંદિરનું મહત્વ વધી જાય છે. અહીં હવન કરવાથી શત્રુઓ પર વિજયી પ્રાપ્ત થાય છે. અડચણો દૂર થાય છે. સંભવત: ભારતમાં અહીં એકમાત્ર એવું મંદિર છે, જ્યાં માતા સ્વયંભૂ મૂર્તિમાં ત્રણ દેવીઓ સમાયેલી છે. મધ્યમાં માતા બગલામુખી, ડાબી બાજૂ લક્ષ્મી માતા અને જમણી બાજૂ સરસ્વતી માતા વિરાજમાન છે. માતા બગલામુખીને મહારુદ્રની મૂળ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીનકાળમાં અહીં બગાવત નામનું ગામ આવેલ છે. અહીં વિશ્વ શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ છે.
કહેવાય છે કે, મહાભારત કાળમાં પાંડવ જ્યારે મુશ્કેલીમાં હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેમને મા બગલામુખીની આ જગ્યાની ઉપાસના કરવા માટે કહ્યું હતું. તે સમયે માની મૂર્તિ એક ચબૂતરા પર વિરાજિત હતા. પાંડવોએ આ ત્રિગુણ શક્તિ સ્વરુપાની આરાધના કરી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી પોતાનું ખોવાયેલ રાજ્ય પાછુ લઈ લીધું.
આપને જણાવી દઈએ કે, ચૂંટણીના સમયમાં પણ બગલામુખીની આરાધનાનું જબરદસ્ત મહત્વ માનવામાં આવે છે. મોટા મોટા નેતા અને તેના પરિજન મંદિરમાં માથુ ટેકવા આવે છે અને હવન કરતા જોઈ શકાય છે. કહેવાય છે કે, તેની શ્રદ્ધા અનુસાર તેમને ફક્ત ટિકિટ જ નથી મળતી, પણ ચૂંટણી જીતી જાય છે. આ ઉપરાંત વેપાર, ચૂંટણી, કોર્ટ-કચેરીના કિસ્સામાં પણ વિજય પ્રાપ્ત કરવા અને પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે લોકો દેશના ખૂણે ખૂણેથી અહીં આવે છે.
માં બગલામુખીની આ વિચિત્ર અને ચમત્કારી મૂર્તિની સ્થાપનાનું કોઈ ઐતિહાસિક પ્રમાણ તો નથી મળતું. પણ કિવંદિતી છે કે, આ મૂર્તિ સ્વયં સિદ્ધ સ્થાપિત છે. કાલ ગણના હિસાબથી આ સ્થાન લગભગ પાંચ હજાર વર્ષ પહેલા સ્થાપિત કર્યું છે. પ્રાણ તોષિણી, તંત્ર વિદ્યા પર આધારિત એક પુસ્તક છે. તેમાં માં બગલામુખીની ઉત્પતિ વિશે જણાવ્યું છે. કહેવાય છે કે સતયુગમાં એક એવું વિનાશકારી તોફાન આવ્યું, જેમાં સંપૂર્ણ વિશ્વનો નાશ કરવાની ક્ષમતા હતી. આ તોફાનને રોકવા માટે ભગવાન વિષ્ણુએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હરિન્દ્રા સરોવર નજીક તપસ્યા કરી. તેમની આ તપસ્યાથી પ્રસન્ન થઈને ચતુર્દશી તિથિએ માતા બગલામુખી પ્રકટ થયા અને તે વિનાશકારી તોફાનથી વિશ્વની રક્ષા કરી.