કોટ્ટયમ/ઝડુકી: કેરળનાં દક્ષિણ અને મધ્ય ભાગમાં શનિવારે ભારે વરસાદને કારણે ઘણાં સ્થાન પર અચાનક જ પૂર આવી ગયુ અને ઘણાં સ્થાન પર ભૂસ્ખલન થયું. જેમાં ઓછામાં ઓછા 18 લોકોનાં મોત થઇ ગયા છે. જ્યારે ઘણાં બધા લોકો ગૂમ છે. વરસાદનાં કારણે પરિસ્થિતિ ભયાવહ થઇ ગઇ છે. જેને કારણે રાજ્ય સરકારે રાહત અને બચાવ કાર્ય માટે સેનાથી મદદ માંગી છે.
કોટ્ટયમ, ઝડુકી અને પથનમથિટ્ટા જિલ્લાનાં પર્વતીય વિસ્તારમાં કંઇક આવી જ સ્થિતિ છે. જેવી સ્થિતિ વર્ષ 2018 અને 2019માં હતી. તેવું વિનાશકારી પૂર હાલમાં આવ્યું છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે, સ્થિતિ નિયંત્રણમાં છે અને ભયભીત થવાની જરૂર નથી. જોકે આમ છતા રાજ્ય પોલીસ અને ફાયર વિભાગની ટીમ રાહત કાર્યમાં અને ખરાબ હવામાનથી પ્રભાવિત વિસ્તાર સુધી પહોંચવામાં અક્ષમ છે.
ભૂસ્ખલન પ્રભાવિત આ ગામનાં પાડોસમાં પહોંચેલાં રાજ્યનાં સહકારિતા મંત્રી વીએન વાસને જણાવ્યું કે, બે મહિલાઓ અને એક બાળકનાં શવનું તલાશ અભિયાન શરૂ છે. જ્યારે ઘાટીમાં માર્યા ગયેલાં એક પુરુષનાં શવની પણ તલાશ ચાલુ છે. તેમણે જણાવ્યું કે, ગામનાં 12 લોકો ગૂમ છે. પોલીસે જણાવ્યું કે, અન્ય ઘટનાઓમાં ઇડુકી જિલ્લાનાં કંજરમાં કારનાં વહી જવાથી તે માં સવાર 30 વર્ષિય એક વ્યક્તિનું મોત થઇ ગયુ છે.