હિંદુ પૌરાણિક કથા અનુસાર, ભગવાન શિવે મહાશિવરાત્રિ પર દેવી પાર્વતી સાથે વિવાહ કર્યા હતા અને કેટલાક દિવસો માટે પાર્વતી પિયર ગયા હતા. એવી માન્યતા છે કે, બે અઠવાડિયા પછી, રંગભરી અગિયારસે ભગવાન શિવ તેમને લગ્ન પછી પહેલી વાર કાશી લાવ્યાં હતાં. એવું માનવામાં આવે છે કે, કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન શિવના ભક્તોએ દેવી પાર્વતી આવ્યા હોવાનો જશ્ન મનાવ્યો હતો. પરંતુ શિવના ભક્તોને રંગથી હોળી રમવાની તક મળી નહોતી, તેથી ભગવાનો સ્વયં ભસ્મથી તેમની સાથે હોળી રમવા માટે સ્મશાન ઘાટ આવ્યા હતા.