દાયકાઓ પહેલા મુખ્યાલયમાં સ્થાપિત રામલલા મંદિરથી લોકોની અગાધ શ્રદ્ધા જોડાયેલી છે. આમ તો દરરોજ લોકોની દિનચર્યાની શરુઆત પોતાના રામલલાના દર્શન સાથે થાય છે. પણ રામનવમીના અવસર પર મંદિરમાં શ્રદ્ધાળુઓનું આવક વધી જાય છે. રામલલા મંદિરમાં પૂજન સાથે રામનવમીની શરુઆત થાય છે. તો વળી અખાડાનું વિસર્જન પણ રામલલા મંદિરમાં જ થાય છે.
ગઢવામાં વિરાજેલા રામલલા વિશે કિંવદંતી જણાવે છે કે, મંદિર નવનિર્માણ સમિતિના સચિવ જણાવે છે કે, અમુક દાયકા પહેલા મંદિરની પાસે એક ઝૂપડી હતી. જેમાં એક મહાત્મા રહેતા હતા. આ દરમ્યાન તેમની પાસે એક નાના બાળકનું મોત થઈ ગયું હતું. લોકો તેને દફનાવવા માટે મહાત્માજી પાસે કોદાળી માગવા ગયા. સૌએ તેમને જણાવ્યું કે, રામલલાનું મોત થઈ ગયું, તેને દફનાવવાના છે.
આ સાંભળીને મહાત્માજીએ કહ્યું કે, રામલલા તો મરી ન શકે. તેઓ બહાર નીકળીને બાળકની લાશ પાસે પહોંચ્યા અને તેને વ્હાલ કર્યું. તો બાળક ઉઠ્યું. તે જ સમયે લોકો રામલલાની જયકારા લગાવ્યા અને ત્યાં રામલલાની પ્રતિમા સ્થાપિત કરીને પૂજા અર્ચના શરુ થાય છે. બાદમાં લોકોના સહયોગથી એક મંદિર બનાવે છે. આજે મંદિરને ભવ્યતા આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
અહીં યૂપી, એમપી, છત્તીસગઢ, બિહાર સહિત ઝારખંડના અળગ અલગ જગ્યા પરથી લોકો દર્શન માટે પહોંચે છે. એક વાર ચોર દ્વારા ભગવાનની પ્રતિમાની ચોરી પણ કરી લીધી હતી. પણ ભગવાનને લેવાવાળું કોઈ મળ્યુ નહીં. બાદમાં ભગવાન પુન: ગઢવા પધાર્યા, જે બાદ લોકોની આસ્થા વધી ગઈ. આ મંદિરમાં આવતા લોકો જણાવે છે કે, ભગવાન રામની લીલા અપરંપાર છે.