Home » photogallery » national-international » PHOTOS: અયોધ્યા બાદ ઝારખંડમાં પણ આવેલું છે ભગવાન રામલલાનું મંદિર, 4 રાજ્યોના ભક્તોની ભીડ ઉમટી

PHOTOS: અયોધ્યા બાદ ઝારખંડમાં પણ આવેલું છે ભગવાન રામલલાનું મંદિર, 4 રાજ્યોના ભક્તોની ભીડ ઉમટી

અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને દર્શનાર્થીઓ માટે તેને 2024ની જાન્યુઆરી મહિનામાં ખોલી દેવામાં આવશે. આ મંદિરનું મહત્વ એટલા માટે છે કે, આ જગ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ અને અહીં ભગવાનનું બાળ રુપ વિરાજમાન છે. અયોધ્યાથી લગભગ 500 કિમી દૂર ઝારખંડના ગઢવામાં એક મંદિર છે, જ્યાં રામ લલા વિરાજે છે. માન્યતા એવી છે કે, ગઢવા શહેરના સ્ટેશન રોડ પર આવેલા શ્રીરામલલા મંદિરમાં લોકોની મનોકામના કરનારા ક્યારેય નિરાશ થતા નથી. (રિપોર્ટ તથા ફોટો-ચંદન કુમાર કશ્યપ)

  • Local18
  • |
  • | Ranchi, India

  • 16

    PHOTOS: અયોધ્યા બાદ ઝારખંડમાં પણ આવેલું છે ભગવાન રામલલાનું મંદિર, 4 રાજ્યોના ભક્તોની ભીડ ઉમટી

    દાયકાઓ પહેલા મુખ્યાલયમાં સ્થાપિત રામલલા મંદિરથી લોકોની અગાધ શ્રદ્ધા જોડાયેલી છે. આમ તો દરરોજ લોકોની દિનચર્યાની શરુઆત પોતાના રામલલાના દર્શન સાથે થાય છે. પણ રામનવમીના અવસર પર મંદિરમાં શ્રદ્ધાળુઓનું આવક વધી જાય છે. રામલલા મંદિરમાં પૂજન સાથે રામનવમીની શરુઆત થાય છે. તો વળી અખાડાનું વિસર્જન પણ રામલલા મંદિરમાં જ થાય છે.

    MORE
    GALLERIES

  • 26

    PHOTOS: અયોધ્યા બાદ ઝારખંડમાં પણ આવેલું છે ભગવાન રામલલાનું મંદિર, 4 રાજ્યોના ભક્તોની ભીડ ઉમટી

    કેટલાય દાયકાઓ પહેલા સ્થાપિત ગઢવામાં રામ લલાનું બાળ સ્વરુપનું દર્શન કરવાથી પુણ્ય મળે છે. એવું પણ કહેવાય છે કે, સમગ્ર દેશમાં માત્ર બે જગ્યા પર જ રામ લાલનું બાળ સ્વરુપ જોવા મળે છે. એક અયોધ્યામાં અને બીજૂ ગઢવામાં. અહીં ભગવાન રામના બાળરુપની અપ્રતિમ સૌંદર્યવાળી પ્રતિમા આવેલી છે.

    MORE
    GALLERIES

  • 36

    PHOTOS: અયોધ્યા બાદ ઝારખંડમાં પણ આવેલું છે ભગવાન રામલલાનું મંદિર, 4 રાજ્યોના ભક્તોની ભીડ ઉમટી

    પૂજા અર્ચના કરતા પોતાની ઉંમરા ચોથા પડાવમાં પહોંચી ચુકેલી મંદિરીની પૂજારી જણાવે છે કે, મારા રામલલાના દર્શન મેળવવા માટે ઝારખંડ સહિત પાડોશી રાજ્યોમાંથી પણ લોકો અહીં આવે છે. સાથે જ પોતાનો ખોળો ભરાય તેના માટે મહિલાઓ અહીં આવે છે અને ક્યારેય નિરાશ થતી નથી.

    MORE
    GALLERIES

  • 46

    PHOTOS: અયોધ્યા બાદ ઝારખંડમાં પણ આવેલું છે ભગવાન રામલલાનું મંદિર, 4 રાજ્યોના ભક્તોની ભીડ ઉમટી

    ગઢવામાં વિરાજેલા રામલલા વિશે કિંવદંતી જણાવે છે કે, મંદિર નવનિર્માણ સમિતિના સચિવ જણાવે છે કે, અમુક દાયકા પહેલા મંદિરની પાસે એક ઝૂપડી હતી. જેમાં એક મહાત્મા રહેતા હતા. આ દરમ્યાન તેમની પાસે એક નાના બાળકનું મોત થઈ ગયું હતું. લોકો તેને દફનાવવા માટે મહાત્માજી પાસે કોદાળી માગવા ગયા. સૌએ તેમને જણાવ્યું કે, રામલલાનું મોત થઈ ગયું, તેને દફનાવવાના છે.

    MORE
    GALLERIES

  • 56

    PHOTOS: અયોધ્યા બાદ ઝારખંડમાં પણ આવેલું છે ભગવાન રામલલાનું મંદિર, 4 રાજ્યોના ભક્તોની ભીડ ઉમટી

    આ સાંભળીને મહાત્માજીએ કહ્યું કે, રામલલા તો મરી ન શકે. તેઓ બહાર નીકળીને બાળકની લાશ પાસે પહોંચ્યા અને તેને વ્હાલ કર્યું. તો બાળક ઉઠ્યું. તે જ સમયે લોકો રામલલાની જયકારા લગાવ્યા અને ત્યાં રામલલાની પ્રતિમા સ્થાપિત કરીને પૂજા અર્ચના શરુ થાય છે. બાદમાં લોકોના સહયોગથી એક મંદિર બનાવે છે. આજે મંદિરને ભવ્યતા આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

    MORE
    GALLERIES

  • 66

    PHOTOS: અયોધ્યા બાદ ઝારખંડમાં પણ આવેલું છે ભગવાન રામલલાનું મંદિર, 4 રાજ્યોના ભક્તોની ભીડ ઉમટી

    અહીં યૂપી, એમપી, છત્તીસગઢ, બિહાર સહિત ઝારખંડના અળગ અલગ જગ્યા પરથી લોકો દર્શન માટે પહોંચે છે. એક વાર ચોર દ્વારા ભગવાનની પ્રતિમાની ચોરી પણ કરી લીધી હતી. પણ ભગવાનને લેવાવાળું કોઈ મળ્યુ નહીં. બાદમાં ભગવાન પુન: ગઢવા પધાર્યા, જે બાદ લોકોની આસ્થા વધી ગઈ. આ મંદિરમાં આવતા લોકો જણાવે છે કે, ભગવાન રામની લીલા અપરંપાર છે.

    MORE
    GALLERIES