Home » photogallery » national-international » આર્થિક તંગીના કારણે બે જ્વેલર્સ ભાઈઓએ પોતાની દુકાનમાં જ ગળાફાંસો ખાઈને કરી આત્મહત્યા

આર્થિક તંગીના કારણે બે જ્વેલર્સ ભાઈઓએ પોતાની દુકાનમાં જ ગળાફાંસો ખાઈને કરી આત્મહત્યા

માનવામાં આવી રહ્યું છે કે બંને ભાઈઓનો સંપૂર્ણ પણે ચોપટ થઈ ગયો હતો. બંને દેવામાં ડૂબેલા હતા. આ વાતથી પરેશાન થઈને બંને ભાઈઓએ આ દર્દનાક પગલું ઉઠાવ્યું હતું.

  • 15

    આર્થિક તંગીના કારણે બે જ્વેલર્સ ભાઈઓએ પોતાની દુકાનમાં જ ગળાફાંસો ખાઈને કરી આત્મહત્યા

    દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં દર્દનાક ઘટના સામે આવી છે. દિલ્હીમાં ચાંદની ચોક (Chandni Chowk in Delhi) વિસ્તારમાં સોના-ચાંદીના વેપારીઓએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા (suicide) કરી લીધી હતી. આર્થિક તંગીના (money crisis) કારણે આપઘાત કર્યો હોવાનો માનવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ ઘરમાં માતમ છવાયો હતો.

    MORE
    GALLERIES

  • 25

    આર્થિક તંગીના કારણે બે જ્વેલર્સ ભાઈઓએ પોતાની દુકાનમાં જ ગળાફાંસો ખાઈને કરી આત્મહત્યા

    જાણકારી પ્રમાણે દિલ્હીના ચાંદની ચોકમાં માલીવાડામાં હલ્દીરામની ઉપર કૃષ્ણા જ્વેલર્સના નામે આદિશ્વર ગુપ્તાની દુકાન છે. તેમના બે પુત્રો 47 વર્ષીય અંકિત ગુપ્તા અને 42 વર્ષીય અર્પિત ગુપ્તા આ દુકાનમાં વેપાર કરતા હતા. બુધવારે બંને ભાઈ દુકાન ઉપર હતા. આશરે ત્રણ વાગ્યે બંને ભાઈઓએ દુકાનમાં જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

    MORE
    GALLERIES

  • 35

    આર્થિક તંગીના કારણે બે જ્વેલર્સ ભાઈઓએ પોતાની દુકાનમાં જ ગળાફાંસો ખાઈને કરી આત્મહત્યા

    ઘટનાની જાણકારી મળતા આખા બજારમાં સનસની ફેલાઈ ગઈ હતી. આ અંગે પોલીસને સૂચના આપી હતી. બંને ભાઈઓની લાશને નીચે ઉતારીને પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. બંને ભાઈ જૂની દિલ્હીના સીતારામ બજારમાં રહેતા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી છે.

    MORE
    GALLERIES

  • 45

    આર્થિક તંગીના કારણે બે જ્વેલર્સ ભાઈઓએ પોતાની દુકાનમાં જ ગળાફાંસો ખાઈને કરી આત્મહત્યા

    માનવામાં આવી રહ્યું છે કે બંને ભાઈઓનો સંપૂર્ણ પણે ચોપટ થઈ ગયો હતો. બંને દેવામાં ડૂબેલા હતા. આ વાતથી પરેશાન થઈને બંને ભાઈઓએ આ દર્દનાક પગલું ઉઠાવીને પોતાનો જીવ લીધો હતો.

    MORE
    GALLERIES

  • 55

    આર્થિક તંગીના કારણે બે જ્વેલર્સ ભાઈઓએ પોતાની દુકાનમાં જ ગળાફાંસો ખાઈને કરી આત્મહત્યા

    બંનેએ દુકાનમાં પંખા સાથે ફંદો બાંધીને ગળામાં ફંદો નાખીને લટકી ગયા હતા. તેમના પરિચિત અને પરિવારજનોને ખૂબ જ સદમો લાગ્યો હતો. અને આર્થિક તંગીના કારણે પરિવાર અને સંબંધીઓમાં માતમ છવાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES