અહીંના લોકોનું કહેવું છે કે, આ બંને ગામમાં એક કૂતરી રહેતી હતી, જે કોઈપણ સમયે ખાવા માટે પહોંચી જતી હતી. એકવાર રેવન ગામમાં ભોજનનો કાર્યક્રમ હતો. રામતુલાનો અવાજ સાંભળીને કૂતરી રેવન ગામમાં ભોજન લેવા પહોંચી, પરંતુ ખોરાક પુરો થઈ ગયો હતો. આ બાદ તે કકવારા ગામ પહોંચી, ત્યાં પણ ખાવાનું નહોતું મળતું અને આ રીતે તે ભૂખથી મરી ગઈ હતી.
આ વિસ્તારમાં રહેતા ઈતિહાસ નિષ્ણાત હરગોવિંદ કુશવાહા કહે છે કે, બંને ગામના લોકો કૂતરીનાં મૃત્યુથી ખૂબ જ દુઃખી થયા હતા, ત્યારબાદ તેઓએ બંને ગામની સરહદ પર કૂતરીને દફનાવી દીધી હતી અને થોડા સમય પછી ત્યાં મંદિર બનાવ્યું હતું. હવે પરંપરા એવી છે કે, આજુબાજુના ગામોમાં કોઈ પણ કાર્યક્રમ યોજાય તો લોકો આ મંદિરમાં જઈને ભોજન કરાવે છે.