Home » photogallery » national-international » Photos: 'જય કુતિયા મહારાણી મા', જાણો શા માટે આ ગામમા બનાવવામાં આવ્યું શ્વાનનું મંદીર

Photos: 'જય કુતિયા મહારાણી મા', જાણો શા માટે આ ગામમા બનાવવામાં આવ્યું શ્વાનનું મંદીર

યુપીના ઝાંસીનું આ એક નાનું મંદિર છે, જેના પર 'જય કુતિયા મહારાણી મા' લખેલું છે. લોકો આ મંદિરની મુલાકાત લે છે અને પૂજા કરે છે. મંદિરનું આ નામ શા માટે પડ્યું તેની પાછળ એક વિચિત્ર વાર્તા છે. જુઓ આ મંદિરની તસવીરો...

विज्ञापन

  • 16

    Photos: 'જય કુતિયા મહારાણી મા', જાણો શા માટે આ ગામમા બનાવવામાં આવ્યું શ્વાનનું મંદીર

    ભારત દેશ તેના વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા માટે જાણીતો છે. આ આસ્થાનો દેશ છે, જ્યાં લાખો મંદિરો છે. કેટલાક વૃક્ષો અને છોડની પૂજા કરે છે અને કેટલાક પ્રાણીઓમાં આસ્થા ધરાવે છે. યુપીના ઝાંસીમાં કુતિયા મહારાણીનું મંદિર પણ છે.

    MORE
    GALLERIES

  • 26

    Photos: 'જય કુતિયા મહારાણી મા', જાણો શા માટે આ ગામમા બનાવવામાં આવ્યું શ્વાનનું મંદીર

    કુતિયા મહારાણીના મંદિર વિશે સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આશ્ચર્ય પામશો નહીં, તે વાસ્તવિકતામાં છે.

    MORE
    GALLERIES

  • 36

    Photos: 'જય કુતિયા મહારાણી મા', જાણો શા માટે આ ગામમા બનાવવામાં આવ્યું શ્વાનનું મંદીર

    આ મંદિર ઝાંસી જિલ્લાના મૌરાનીપુર તાલુકામાં છે. આ મંદિર મૌરાનીપુરના રેવન અને કકવાડા ગામની સરહદ પર છે. આ એક નાનું મંદિર છે, જે રસ્તાના કિનારે બનેલું છે.

    MORE
    GALLERIES

  • 46

    Photos: 'જય કુતિયા મહારાણી મા', જાણો શા માટે આ ગામમા બનાવવામાં આવ્યું શ્વાનનું મંદીર

    રસ્તાના કિનારે સફેદ ચબુતરા પર કાળી કૂતરીનું પૂતળું સ્થાપિત કરવામાં આવ્યું છે. લોકો આ મંદિરમાં આવે છે, પૂજા કરે છે અને માથું જુકાવે છે.

    MORE
    GALLERIES

  • 56

    Photos: 'જય કુતિયા મહારાણી મા', જાણો શા માટે આ ગામમા બનાવવામાં આવ્યું શ્વાનનું મંદીર

    અહીંના લોકોનું કહેવું છે કે, આ બંને ગામમાં એક કૂતરી રહેતી હતી, જે કોઈપણ સમયે ખાવા માટે પહોંચી જતી હતી. એકવાર રેવન ગામમાં ભોજનનો કાર્યક્રમ હતો. રામતુલાનો અવાજ સાંભળીને કૂતરી રેવન ગામમાં ભોજન લેવા પહોંચી, પરંતુ ખોરાક પુરો થઈ ગયો હતો. આ બાદ તે કકવારા ગામ પહોંચી, ત્યાં પણ ખાવાનું નહોતું મળતું અને આ રીતે તે ભૂખથી મરી ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 66

    Photos: 'જય કુતિયા મહારાણી મા', જાણો શા માટે આ ગામમા બનાવવામાં આવ્યું શ્વાનનું મંદીર

    આ વિસ્તારમાં રહેતા ઈતિહાસ નિષ્ણાત હરગોવિંદ કુશવાહા કહે છે કે, બંને ગામના લોકો કૂતરીનાં મૃત્યુથી ખૂબ જ દુઃખી થયા હતા, ત્યારબાદ તેઓએ બંને ગામની સરહદ પર કૂતરીને દફનાવી દીધી હતી અને થોડા સમય પછી ત્યાં મંદિર બનાવ્યું હતું. હવે પરંપરા એવી છે કે, આજુબાજુના ગામોમાં કોઈ પણ કાર્યક્રમ યોજાય તો લોકો આ મંદિરમાં જઈને ભોજન કરાવે છે.

    MORE
    GALLERIES