Home » photogallery » national-international » તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

ભારતમાં પશુઓના શિકાર પર પ્રતિબંધ છે, અને અહીં જાનવરોના અધિકાર માટે કાયદા પણ છે. જોકે આ મામલે સામાન્ય નાગરિકોને કાયદાની ઓછી જાણ હોય છે.

विज्ञापन

  • 118

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    ઉત્તર પ્રદેશના બહરાઈચ જીલ્લામાં સ્થિત સંરક્ષિત વન વિસ્તાર કતર્નિયાઘાટમાં ગેરકાયદે શિકાર કરવાના મામલામાં વન વિભાગે આંતરરાષ્ટ્રીય ગોલ્ફર અને બોલિવુડ એક્ટ્રેસ ચિત્રાંગદાના પૂર્વ પતિ જ્યોતિ રંઘાવાની ધરપકડ કરી લીધી છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રંઘાવાની પૂછતાછ કરવામાં આવી રહી છે. તેની પાસેથી એક રાઈફલ અને અન્ય ઉપકરણ મળી આવ્યા છે. આ સિવાય તેની પાસેથી સાંભરની ખાલ પણ મળી આવી છે.

    MORE
    GALLERIES

  • 218

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    ભારતમાં પશુઓના શિકાર પર પ્રતિબંધ છે, અને અહીં જાનવરોના અધિકાર માટે કાયદા પણ છે. જોકે આ મામલે સામાન્ય નાગરિકોને કાયદાની ઓછી જાણ હોય છે. તો જોઈએ કયા જાનવરને મારવાથી કેટલી સજા થાય.

    MORE
    GALLERIES

  • 318

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    એન્ટ્રી બર્થ કંટ્રોલ (2001) ડોગ્સ રૂલ નિયમ હેઠલ કૂતરાને બે શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. પાલતુ કૂતરા અને રખડતા કૂતરા. કોઈ પણ વ્યક્તિ અથવા સ્થાનિક પ્રશાસન પશુ કલ્યાણ સંસ્થાના સહયોગથી રખડતા કૂતરાનું બર્થ કંટ્રોલ ઓપરેશન કરી શકે છે. તેને મારવું ગેરકાયદેસર છે.

    MORE
    GALLERIES

  • 418

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    ભારતના સંવિધાનમાં જે નાગરીકના કર્તવ્યોની વાત કરવામાં આવી છે, તેમાં તમામ જીવીત પ્રાણીઓ પ્રતિ દયાનો ભાવ રાખવાનો અનુચ્છેદ 51A (ઉ) હેઠળ નાગરિક કર્તવ્ય જણાવ્યા છે.

    MORE
    GALLERIES

  • 518

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    કોઈ જાનવરને જાનથી મારી નાખવું કે તેને અપંગ કરી દેવું એક દંડનીય અપરાધ છે. આવા અપરાધમાં આઈપીસીની કલમ 428 અને 429 અંતર્ગત સજાની જોગવાઈ છે. આવો અપરાધ કરવા પર અપરાધીને 5 વર્ષ સુધીની સજા અથવા દંડ તથા બંને થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 618

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    જો પાલતુ જાનવરને ઘરમાંથી નીકાળી દો તો ત્રણ મહિનાની સજા થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 718

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    કોઈ જાનવરને (જાનવરો સાથે આ કાયદામાં ચીકન પણ સામેલ છે) કતલખાના સિવાય ક્યાંય અન્ય જગ્યા પર કાપી ન શકાયબીમાર અને પ્રેગનેન્ટ જાનવરોને પણ ના કાપવું જોઈએ. પશુઓ પ્રતિ ક્રૂરતાકથામ નિયમ, 2000 હેટલ આ પ્રતિબંધ છે.

    MORE
    GALLERIES

  • 818

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    વાઈલ્ડ લાઈફ એક્ટ અનુસાર, વાંદરાને પણ કાયદાકીય રીતે સુરક્ષા આપવામાં આવી છે. કાયદો કહે છે કે, વાંદરાઓ સાથે કેલ કરાવવો અથવા તેને કેદમાં રાખવો ગેરકાયદે છે.

    MORE
    GALLERIES

  • 918

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    પશુઓની દેખરેખના ક્રમમાં જાનવરને પર્યાપ્ત ભોજન, પાણી, શરણ આપવાની ના પાડવી અને લાંબા સમય સુધી બાંધીને રાખવું દંડનીય અપરાધ છે. આના માટે દંડ તથા ત્રમ મહિનાની સજા થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 1018

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    પશુઓને લડવા માટે ભડકાવવું, આવી લડાઈનું આયોજન કરવું અથવા તેમાં ભાગ લેવો સંજ્ઞેય અપરાધ છે.

    MORE
    GALLERIES

  • 1118

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રૂલ્સ 1945 અનુસાર, જાનવરો પર કોસ્મેટિક્સનો પ્રયોગ કરવો અને જાનવરો પર ટેસ્ટ કરવામાં આવેલા કોસ્મેટિકની આયાત કરવા પર પ્રતિબંધ છે.

    MORE
    GALLERIES

  • 1218

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    સ્લોટર હાઉસ રુલ્સ 2001 અનુસાર, દેશના કોઈ પણ ભાગમાં પશુ બલી આપવી ગેરકાયદેસર છે.

    MORE
    GALLERIES

  • 1318

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    પ્રાણીસંગ્રહાલય અને તેના પરિસરમાં જાનવરોને ચીઢાવવા, ખાવાનું આપવું અથવા હેરાન કરવા દંડનીય અપરાધ છે. પીસીએ હેઠળ આવું કરનારને ત્રણ વર્ષની સજા, 25 હજાર રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 1418

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    પશુઓને અસવિધામાં રાખી, દર્દ પહોંચાડવું અથવા પરેશાન કરીને એક ગાડીમાંથી બીજી ગાડીમાં લઈ જવું મોટર વ્હીકલ એક્ટ અને પીસીએ એક્ટ હેઠળ દંડનીય અપરાધ છે.

    MORE
    GALLERIES

  • 1518

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    પીસીએ એક્ટ સેક્શન 22(2) અનુસાર, રીંછ, વાંદરો, વાઘ, દીપડો, સિંહ અને બળદને મનોરંજન કે સર્કસ માટે ટ્રેનિંગ આપવી અને તેનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે.

    MORE
    GALLERIES

  • 1618

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    પક્ષી કે સરીસૃપના ઈંડાને નષ્ટ કરવું અથવા તેની સાથે છેડછાડ કરવી અથવા તેમનો માળો હોય તેવા ઝાડને કાપવાની કોશિસ કરવી શિકાર માનવામાં આવશે. આ ગુનો કરનાર દોષીને સાત વર્ષની સજા અથવા 25 હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 1718

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972ના સેક્શન 9 હેઠળ શિકાર પર પ્રતિબંધ છે. આ એક્ટમાં ચાર લીસ્ટ બનાવી 200થી વધારે જાનવરોને રાખવામાં આવ્યા છે. આ લીસ્ટમાં પહેલા લીસ્ટમાં સૌથી વધારે મહત્વપૂર્ણ અને મોટા જાનવરોને રાખવામાં આવ્યા છે. જેમના શિકાર પર ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધારેમાં વધારે સાત વર્ષની સજા તથા 10 હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે.

    MORE
    GALLERIES

  • 1818

    તમને ખબર છે? કયા જાનવરનો શિકાર કરવાથી કેટલી સજા થાય છે?

    જો ફરી શિકાર કરવાનો ગુનો કરે છે તો, તેનો દંડ વધીને 25000 થઈ જશે, તથા સજા ફરી તેટલી જ રહેશે. ખતમ થઈ જવાની કગાર પર રહેલા જાનવરને પણ કાયદા હેઠળ સંરક્ષણ આપવામાં આવે છે. આ કાયદા હેટલ જંગલી જાનવરોને કેદ કરવા અથવા કોઈ પણ જંગલી જાનવરને પકડવું, ફસાવવું, ઝહેર આપવું અથવા લાલચ આપવી દંડનીય અપરાધ છે. આવા દોષીને સાત વર્ષની સજા અથવા 25 હજારનો દંડ થઈ શકે છે.

    MORE
    GALLERIES