

પૌરાણિક તેમ જ આધ્યાત્મિક નગરી, અયોધ્યાનું રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થઇ રહ્યો છે. અહીં યાત્રીઓની સુવિધા, સ્વચ્છતા અને વિવિધ સુવિધાઓ મળે તે માટે પ્રયાસ થઇ રહ્યો છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જન્મભૂમિ તેવી અયોધ્યા (Ayodhya) ભારતભરના લોકો માટે આસ્થા અને ભક્તિનું સ્થળ છે. અયોધ્યા રેલવે સ્ટેશનનું હાલ 104.77 કરોડ રૂપિયાના ખર્ચે કાયાકલ્પ થઇ રહ્યો છે. ત્યારે તેના માસ્ટર પ્લાન તસવીરો જુઓ.


પૌરાણિક અને આધ્યાત્મિક નગર તેવી અયોધ્યાના રેલવે સ્ટેશન પર ભારત ભરથી લોકો આવે છે. અહીં યાત્રીની સુવિધા, સ્વચ્છતા અને સુંદરતાને ધ્યાનમાં રાખી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનકો પર સેવાઓ ઉપલબ્ધ કરાવાનો પ્રયાસ થઇ રહ્યો છે.


આ સ્ટેશન ભવનનું નિર્માણ રેલવેની રાઇટ્સ (RITES)ના ઉપક્રમે થઇ રહ્યું છે. આ સિવાય ભવનનું નિર્માણ બે ચરણોમાં થશે. પ્રથમ ચરણમાં પ્લેટફોર્મ સંખ્યા 1 અને 2/3નું વિકાસ કાર્ય, વર્તમાન સરકુલેટિંગ એરિયા અને હોલ્ડિંગ એરિયાનો વિકાસ થશે. બીજા ચરણમાં નવા સ્ટેશન ભવનનું નિર્માણ અને અન્ય સુવિધાઓના નિર્માણનું કાર્ય કરવામાં આવશે.


પ્રતીક્ષાલય સુવિધાના વિસ્તાર કરીને અહીં 3 એસી વિશ્રામાલય બનાવવામાં આવશે. આ સિવાય 17 બેડ વાળી પુરુષ ડોરમેટ્રી, 10 બેડ વાળી મહિલા ડોરમેટ્રી બનાવવામાં આવી છે. વધારાતા ફૂટઓવર બ્રિઝ, ફૂડ પ્લાઝા, દુકાનો, અતિરિક્ત શૌચાલય પણ બનાવવામાં આવશે.