Home » photogallery » national-international » નીરવ મોદીને ભારત લાવવા માટે મોદી સરકારે આ મોટું પગલું ભર્યુ

નીરવ મોદીને ભારત લાવવા માટે મોદી સરકારે આ મોટું પગલું ભર્યુ

પંજાબ નેશનલ બેન્કમાંથી કરોડો રૂપિયાની છેત્તરપિંડીના આરોપી નીરવ મોદી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા માટે બ્રિટનના ગૃહ મંત્રીએ તેમના પ્રત્યાર્પણની અરજી અદાલતમાં મોકલી છે.

  • 14

    નીરવ મોદીને ભારત લાવવા માટે મોદી સરકારે આ મોટું પગલું ભર્યુ

    પંજાબ નેશનલ બેન્કની કરોડો રૂપિયાની લોન ન ચૂકવનારી નીરવ મોદી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા માટે બ્રિટનના ગૃહમંત્રીએ તેમના પ્રત્યાપર્ણની ભારતની અરજી અદાલતને મોકલી આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બે દિવસ પહેલાં લંડનના ગૃહ મંત્રી સાજીદ જાવીદે અધિકૃત રીતે સૂચના આપી છે. તેમના આ પગલાના લીધે નીરવ મોદીનું પુનરાગમન શક્ય બનશે.

    MORE
    GALLERIES

  • 24

    નીરવ મોદીને ભારત લાવવા માટે મોદી સરકારે આ મોટું પગલું ભર્યુ

    ઈડી અને સીબીઆઈનું એક સંયુક્ત દળ બ્રિટન જશે અને વકીલો તેમજ ભારતનો પક્ષ અને નીરવ વિરુદ્ધ પુરાવા ઉપલબ્ધ કરશે. અગાઉ વિજય માલ્યાને આવી રીતે જ પરત લાવવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 34

    નીરવ મોદીને ભારત લાવવા માટે મોદી સરકારે આ મોટું પગલું ભર્યુ

    બ્રિટનના અખબારના એક સમાાચર મુજબ, પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડમાં 56 કરોડ રૂપિયા 80 લાખ પાઉન્ડના આલિશાન મકાનમાં રહે છે. અહીંયા તેઓ હીરાનો જ વ્યવસાય કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 44

    નીરવ મોદીને ભારત લાવવા માટે મોદી સરકારે આ મોટું પગલું ભર્યુ

    ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, 48 વર્ષના નીરવ મોદી હાલમાં ત્રણ રૂમના ફ્લેટમાં વસી રહ્યાં છે. તેમનો એક વીડિયો પણ બહાર આવ્યો હતો જેમાં ટેલિગ્રાફના રિપોર્ટર નીરવ મોદી સાથે સવાલ-જવાબ કરતા જોવા મળે છે.

    MORE
    GALLERIES