

નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાનનું બીજું ચરણ સોમવારથી શરૂ થઈ ગયું છે જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને 45 વર્ષથી ઉપરની ઉંમરના કોઈ ગંભીર રોગની પીડાતા લોકોને રસી આપવામાં આવી રહી છે. બીજી તરફ દેશમાં કોરોનાએ ફરી માથું ઉચકતા લોકોમાં ચિંતામાં વધારો થયો છે. તેની સાથે જ એક્ટિવ કેસો અને મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાયો છે. (પ્રતીકાત્મક તસવીર)


દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,48,54,136 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,286 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 91 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,11,24,527 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 7 લાખ 98 હજાર 921 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 12,464 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,68,358 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,57,248 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 1 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 21,76,18,057 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 7,59,283 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતની વાત કરીએ તો, 1 માર્ચના રોજ કોરોનાના 427 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં ધીરે ધીરે કેસની સંખ્યા વધી રહી છે. બીજી તરફ, બોટાદ, જામનગર, નવસારી, પાટણ, પોરબંદર અને તાપી એમ 6 જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નોંઘાયા નથી. જ્યારે આજે કુલ 360 દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 97.47 ટકા જેટલો થયો છે. કુલ 2,63,476 વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)