

નવી દિલ્હી: ભારતમાં એક તરફ કોરોના વેક્સીન અભિયાન (Corona Vaccine Campaign) સક્રિયતાથી ચાલી રહ્યું છે તો બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસો (Covid Active Cases) પણ દોઢ લાખથી નીચે આવી ગયા છે. ચિંતાની વાત મૃત્યુઆંક છે (Covid Deaths) કારણ કે છેલ્લા 24 કલાકમાં ફરી 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં તેની સાથે જ મૃત્યુઆંક 1.55 લાખથી પણ વધી ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)


દેશમાં અત્યાર સુધીમાં કુલ 70,17,114 લોકોને કોવિડ વેક્સીન (Covid Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,923 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 108 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,71,294 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


વિશેષમાં, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 5 લાખ 73 હજાર 372 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 11,764 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,42,562 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,55,360 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 9 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 20,40,23,840 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 6,99,185 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 10મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં 53,615 વ્યક્તિને એક જ દિવસમાં 833 કેન્દ્રો પરથી રસી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકમાં માત્ર 255 નવા (Gujarat Corona Updates) કેસ નોંધાયા છે. અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર શહેર, બોટાદ, ડાંગ,. નવસારી, પાટણ, તાપી, પોરબંદર, વલસાડ એમ કુલ 10 જિલ્લા અને કોર્પોરેશનમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોવિડનો રિકવરી રેટ પણ 97.65 ટકાએ પહોંચ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)


24 કલાકમાં અમદાવાદમાં 47, વડોદરામાં 50, રાજકોટમાં 40, સુરતમાં 33, આણંદમાં 7, ગાંધીનગરમાં 7, નર્મદામાં 3, સાબરકાંઠા 6, ભાવનગરમાં 2, ગીરસોમનાથ 7, દાહોદ 4, મહેસાણા2 , અમરેલી 4, ભરૂચ 4, જૂનાગઢ 6, કચ્છ, મોરબી 4-4, પંચમહાલ 3, છોટાઉદેપુર 2, જામનગરમાં 2, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગરમાં 1-1 મળીને કુલ 255 નવા કેસ નોંધા છે જ્યારે 495 દર્દીઓ આજે ડિસ્ચાર્જ થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં હાલમાં કુલ 1800 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે કુલ 26 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે રાજ્યમાં કુલ 1774 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 2,57,968 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કુલ 4397 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કોરોનાના કેસ ઘટડા આરોગ્ય તંત્ર અને સરકારે રાહતનો શ્વાસ લીધો છે. (પ્રતીકાત્મક તસવીર)