Home » photogallery » national-international » India Fights Corona: દેશમાં 24 કલાકમાં 43,393 નવા કેસ નોંધાયા, 911 દર્દીનાં મોત

India Fights Corona: દેશમાં 24 કલાકમાં 43,393 નવા કેસ નોંધાયા, 911 દર્દીનાં મોત

દેશના 9 રાજ્યમાં કોરોના એક્ટિવ કેસમાં વધારો નોંધાયો, હાલ કુલ 4,58,727 એક્ટિવ કેસ

विज्ञापन

  • 18

    India Fights Corona: દેશમાં 24 કલાકમાં 43,393 નવા કેસ નોંધાયા, 911 દર્દીનાં મોત

    India Fights Corona, 9 July 2021: દેશમાં એક દિવસમાં નોંધાતી કોરોના સંક્રમિતોની સંખ્યા સતત 40 હજારની ઉપર રહે છે, જે ચિંતાનું મોટું કારણ બની શકે છે. આ ઉપરાંત 24 કલાકમાં કોવિડ સામે લડતાં-લડતાં જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા પણ 900ની આસપાસ રહે છે. વચ્ચે થોડા સમય માટે નવા સંક્રમણ કેસો અને મૃત્યુઆંક ઘટ્યા હતા, પરંતુ ફરીથી તેમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દેશના 9 એવા રાજ્યો છે જ્યાં કોરોના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે, જેમાં ઉત્તર-પૂર્વના 5 રાજ્યોનો પણ સમાવેશ થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 28

    India Fights Corona: દેશમાં 24 કલાકમાં 43,393 નવા કેસ નોંધાયા, 911 દર્દીનાં મોત

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,393 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 911 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,07,52,950 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 36,89,91,222 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સીનના 40,23,173 ડોઝ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 38

    India Fights Corona: દેશમાં 24 કલાકમાં 43,393 નવા કેસ નોંધાયા, 911 દર્દીનાં મોત

    વિશેષમાં, કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 98 લાખ 88 હજાર 284 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 44,459 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,58,727 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,05,939 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 48

    India Fights Corona: દેશમાં 24 કલાકમાં 43,393 નવા કેસ નોંધાયા, 911 દર્દીનાં મોત

    નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 8 જુલાઈ, 2021 સુધીમાં ભારતમાં કુલ 42,70,16,605 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરુવારના 24 કલાકમાં 17,90,708 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 58

    India Fights Corona: દેશમાં 24 કલાકમાં 43,393 નવા કેસ નોંધાયા, 911 દર્દીનાં મોત

    ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 62 કેસ નોંધાયા છે. જેની સામે 534 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10072 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.60 ટકા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 68

    India Fights Corona: દેશમાં 24 કલાકમાં 43,393 નવા કેસ નોંધાયા, 911 દર્દીનાં મોત

    રાજ્યમાં કોરોના વાયરસ કેસના નવા કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 15, સુરતમાં 12, વડોદરામાં 8, રાજકોટમાં 6, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પંચમહાલમાં 2-2, બનાસકાંઠા, ભરુચ, બોટાદ, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, નવસારી, તાપી, વલસાડમાં 1-1 સહિત કુલ 62 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 78

    India Fights Corona: દેશમાં 24 કલાકમાં 43,393 નવા કેસ નોંધાયા, 911 દર્દીનાં મોત

    ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 363, સુરતમાં 70, વડોદરામાં 10, રાજકોટમાં 7, ગાંધીનગરમાં 50, ગીર સોમનાથમાં 10, મહેસાણામાં 4 સહિત કુલ 534 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 88

    India Fights Corona: દેશમાં 24 કલાકમાં 43,393 નવા કેસ નોંધાયા, 911 દર્દીનાં મોત

    ગુજરાતમાં અત્યારે કુલ 1497 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 9 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 1488 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 812522 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES