

નવી દિલ્હી: દેશમાં ભલે કોરોના સંક્રમણ ફેલાવાની ઝડપ ધીમી થઈ હોય પરંતુ રોજેરોજ તેના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 200થી વધુ નોંધાઈ રહી છે. તેથી જ હવે દેશમાં કુલ મૃત્યુઆંક એકાદ દિવસમાં દોઢ લાખના આંકને આંબી જશે. મંગળવારે, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,375 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 201 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,03,56,845 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 99 લાખ 75 હજાર 958 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 29,091 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,31,036 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,49,850 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 4 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 17,65,31,997 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 17,65,31,997 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (તસવીર- ICMR)


ગુજરાતની વાત કરીએ તો, કોરોના વાયરસના નવા 698 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં 989 દર્દી સાજા પણ થયા છે જ્યારે 24 કલાકમાં 3 દર્દીનાં જ મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,34 5578 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદમાં 144, સુરતમાં 102, વડોદરામાં 130, રાજકોટમાં 64, દાહોદમાં 26, નર્મદામાં 15, ગાંધીનગરમાં 24, ખેડામાં 13, ભરૂચમાં 12, મોરબીમાં 12, ભાવનગરમાં 15, જૂનાગઢમાં 18, આણંદમાં 9, બનાસકાંઠામાં 9, પંચમહાલમાં 8, સુરેન્દ્રનગરમાં 7, મહેસાણામાં 6, સાબરકાંઠામાં 6, ગીરસોમનાથમાં 5, મહીસાગરમાં 4, તાપીમાં 4, અમરેલીમાં , નવસારી, અરવલ્લીમાં 3-3, બોટાદ, છાટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લો, વલસાડમાં 1 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


રાજ્યમાં હાલમાં 9047 કેસ એક્ટિવ છે અને સારવાર લઈ રહ્યા છે. આ પૈકીના 60 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 8986 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,34, 558 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે 4321 દર્દીઓનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2, સુરતમાં 1 મળીને કુલ 3 દર્દીનાં મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)