નવી દિલ્હી: દેશવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ભારત (India) હવે દુનિયાના તે ટૉપ-15 સંક્રમિત દેશોની યાદીથી બહાર થઈ ગયું છે, જ્યાં કોરોના (Coronavirus)ના કારણે દરરોજ સૌથી વધુ મોત થઈ રહ્યા છે. તેનો અર્થ એ છે કે 24 કલાકમાં કોરોના (COVID-19)ના કારણે થતા મોતની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે, ભારતમાં કુલ 16,15,504 લોકોને કોરોના વેક્સીનેશન (Corona Vaccination) કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. (પ્રતીકાત્મક તસવીર)
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 3 લાખ 30 હજાર 84 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 13,298 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,84,182 એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ 96.8 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,53,470 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસનું (coronavirus) જોર ધીમું પડ્યું છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા સમગ્ર દેશમાં વૈશ્વનું સૌથી મોટું કોરોના વાયરસ રસીકરણનું (corona vaccination) અભિયાન ચાલું કર્યું છે. રવિવારે કોરોના વાયરસનાં આંકડાઓની વાત કરીએ તો 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના (Gujarat corona update) 410 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યભરમાંથી 704 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યમાં માત્ર એક કોરોના દર્દીનું મોત નીપજ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં રીકવરી રેટ 96.51 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,50,056 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ 4665 એક્ટીવ કેસ છે જમાં 48 વેન્ટીલેટર અને 4617 સ્ટેબલ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4376 દર્દીઓ કોરોનામાં મૃત્યુ પામ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
બીજી તરફ, જુનાગઢમાં 7 કેસ, દાહોદ 6 કેસ, મહેસાણા 6 કેસ, ગાંધીનગર 5 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 કેસ, જુનાગઢ શહેરમાં 4 કેસ, પંચમહાલમાં 4 કેસ, સાબરકાંઠામાં 4 કેસ, અમદાવાદમાં 3 કેસ, જામનગરમાં 3 કેસ, જામનગર કોર્પોરેશનમાં 3 કેસ, મોરબીમાં 3 કેસ, પોરબંદરમાં 3 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી અન્ય જિલ્લાઓમાં બે કે તેથી ઓછા કેસ નોંધાયા હતા. (પ્રતીકાત્મક તસવીર)