નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ ગુરુવારે દિલ્હીની હૉસ્પિટલ પહોંચીને ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Farmers Tractor Rally) દરમિયાન થયેલી હિંસા (Delhi Violence)માં ઘાયલ થયેલા પોલીસકર્મીઓના (Delhi Police) ખતર અંતર પૂછ્યા. ગૃહ મંત્રી પહેલા સિવિલ લાઇન્સ સ્થિત સુશ્રુતા ટ્રોમા સેન્ટર ગયા. ત્યાં તેઓએ હૉસ્પિટલમાં દાખલ ઘાયલ પોલીસકર્મીઓની મુલાકાત લીધી. તેઓએ પોલીસકર્મીઓના ખતર અંતર પૂછ્યા. ત્યારબાદ અમિત શાહ તીરથ રામ શાહ હૉસ્પિટલ પણ ગયા. ત્યાં પણ ઘાયલ પોલીસકર્મીઓ અને તેમના પરિજનો સાથે મુલાકાત કરી. (Photo: ANI)
બીજી તરફ, ટ્રેક્ટર પરેડમાં હિંસાના એક દિવસ બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહે બુધવારે સુરક્ષા સ્થિતિ અને શહેરમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે ભરવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી. બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને ગૃહ મંત્રાલય તથા દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પણ હિસ્સો લીધો હતો. (Photo: ANI)
બીજી તરફ, પોલીસનું કહેવું છે કે ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસામાં ખેડૂત નેતાઓની ભૂમિકા તપાસવામાં આવશે. હિંસા અને તોડફોડમાં દિલ્હી પોલીસના 394 કર્મી ઘાયલ થયા છે. દિલ્હી પોલીસ કમિશ્નર એસ.એન. શ્રીવાસ્તવે બુધવારે કહ્યું હતું કે કિસાન યૂનિયનોએ ટ્રેક્ટર પરેડ માટે નિયત શરતોનું પાલન નથી કર્યું. પરેડ બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી થવાની હતી અને તેમાં 5,000 ટ્રેક્ટર સામેલ થવાના હતા. (Photo: ANI)