Home » photogallery » national-international » રાહુલ ગાંધીના ઈશારે સચિન પાયલટ માટે હજુ પણ ખુલ્લા છે કૉંગ્રેસના દરવાજા?

રાહુલ ગાંધીના ઈશારે સચિન પાયલટ માટે હજુ પણ ખુલ્લા છે કૉંગ્રેસના દરવાજા?

સૂત્રો મુજબ, રાહુલ ગાંધી નથી ઈચ્છતા કે સચિન પાયલટ પાર્ટી છોડીને જાય

विज्ञापन

  • 17

    રાહુલ ગાંધીના ઈશારે સચિન પાયલટ માટે હજુ પણ ખુલ્લા છે કૉંગ્રેસના દરવાજા?

    ઝેબા વારસી, નવી દિલ્હીઃ સચિન પાયલટ (Sachin Pilot)ના રાજકીય ભવિષ્યને લઈ તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ઈશારાના કારણે પાયલટ માટે હજુ પણ વાપસીના દરવાજા બંધ નથી થયા. જ્યારે બુધવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત (CM Ashok Gehlot)એ પાયલટ પર એક પછી એક આકરા હુમલા કર્યા. તેમ છતાંય કૉંગ્રેસ તરફથી વારંવાર સચિન પાયલટને પાર્ટીમાં પરત આવવા માટે કહેવામાં આવી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 27

    રાહુલ ગાંધીના ઈશારે સચિન પાયલટ માટે હજુ પણ ખુલ્લા છે કૉંગ્રેસના દરવાજા?

    રાહુલના નિકટતમ છે પાયલટ! - સચિન પાયલટનું આવી રીતે જવું કૉંગ્રેસ માટે મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીએ એક યુવા ચહેરાને ગુમાવી દીધો છે, જેણે તેણે પોતે તૈયાર કર્યો હતો. પાયલટ પણ જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ રાહુલ ગાંધીના કેમ્પથી હતા.

    MORE
    GALLERIES

  • 37

    રાહુલ ગાંધીના ઈશારે સચિન પાયલટ માટે હજુ પણ ખુલ્લા છે કૉંગ્રેસના દરવાજા?

    જ્યારે સિંધિયા પાર્ટીને છોડીને ગયા હતા ત્યારે પણ કૉંગ્રેસની ખૂબ ટીકા થઈ હતી. કહેવામાં આવ્યું હતું કે પાર્ટીએ યુવા પ્રતિભાને રોકવાનો પ્રયાસ નથી કર્યો. કદાચ આ જ કારણ છે કે કૉંગ્રેસ આ વખતે પાયલટની વાપસી માટે વારંવાર અપીલ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 47

    રાહુલ ગાંધીના ઈશારે સચિન પાયલટ માટે હજુ પણ ખુલ્લા છે કૉંગ્રેસના દરવાજા?

    વાપસી માટે અપીલ - સૂત્રો મુજબ, રાહુલ નથી ઈચ્છતા કે પાયલટ પાર્ટી છોડીને જાય. સૂત્રોએ કહ્યું કે સચિન પાયલટને ચોક્કસ નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કૉંગ્રેસ કમિટી (PCC)ના પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમ છતાંય પાર્ટીના એક નેતા તેમના સંપર્કમાં છે.

    MORE
    GALLERIES

  • 57

    રાહુલ ગાંધીના ઈશારે સચિન પાયલટ માટે હજુ પણ ખુલ્લા છે કૉંગ્રેસના દરવાજા?

    કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ક્હ્યું કે કોઈ પણ પરિવારમાં પરત આવી શકે છે. તેઓએ એવું પણ કહ્યું કે જો કોઈને મુશ્કેલી છે તો પાર્ટીમાં આવીને વાત કરી શકે છે. તેઓએ પાયલટને યુવા અને હોંશિયાર નેતા પણ કહ્યા.

    MORE
    GALLERIES

  • 67

    રાહુલ ગાંધીના ઈશારે સચિન પાયલટ માટે હજુ પણ ખુલ્લા છે કૉંગ્રેસના દરવાજા?

    આરોપ-પ્રત્યારોપનો મારો ચાલુ - સચિન પાયલટ કેમ્પ સતત અશોક ગહલોત પર અનેક પ્રકારના આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ, અશોક ગહલોતનું કહેવું છે કે તેમનામાં પરિપક્વતાનો અભાવ છે. રાજકીય નિેવેદનબાજી વચ્ચે અશોક ગહલોતે કહ્યું કે, તેઓ નવી પેઢીને પ્રેમ કરે છે અને તેઓ આપણું ભવિષ્ય છે, પરંતુ સાથોસાથ તેઓ સલાહ પણ આપે છે કે તેમણે વધુ સંઘર્ષ કરવાની જરૂર છે.

    MORE
    GALLERIES

  • 77

    રાહુલ ગાંધીના ઈશારે સચિન પાયલટ માટે હજુ પણ ખુલ્લા છે કૉંગ્રેસના દરવાજા?

    બીજી તરફ, સચિન પાયલટનું કહેવું છે કે રાહુલ ગાંધીના કૉંગ્રેસ અધ્યક્ષ પદેથી હટ્યા બાદથી જ ગહલોત તેમને નિશાન બનાવી રહ્યા છે. તેમની અશોક ગહલોત સાથે કોઈ દુશ્મની નથી.

    MORE
    GALLERIES