Home » photogallery » national-international » Terrorist Arrested: કરનાલથી પકડાયેલા ચારેય આતંકીઓ પંજાબના રહેવાસી, આ હતો તેમનો ટાર્ગેટ

Terrorist Arrested: કરનાલથી પકડાયેલા ચારેય આતંકીઓ પંજાબના રહેવાસી, આ હતો તેમનો ટાર્ગેટ

terrorists arrested in Haryana - આ આંતકીઓ પાસેથી એક દેશી પિસ્તોલ, 31 કારતૂસ, 1.30 લાખ રૂપિયા કેશ, 3 લોખંડના કન્ટેનર મળી આવ્યા છે.

विज्ञापन

  • 16

    Terrorist Arrested: કરનાલથી પકડાયેલા ચારેય આતંકીઓ પંજાબના રહેવાસી, આ હતો તેમનો ટાર્ગેટ

    કરનાલ : હરિયાણાના (Haryana)કરનાલ જિલ્લામાં (Karnal District)ગુરુવારે સવારે 4 આતંકીઓની (Terrorist Arrested) નેશનલ હાઇવે પરથી ધરપકડ કરી છે. ચારેય આતંકી ઇનોવા ગાડીમાં જઇ રહ્યા હતા. પોલીસને (Haryana Police)અહીંથી પસાર થવાની સૂચના મળી હતી. કરનાલ પોલીસને ચારેયની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ ચારેય આતંકીઓનું કનેક્શન બબ્બર ખાલસા સાથે બતાવવામાં આવી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 26

    Terrorist Arrested: કરનાલથી પકડાયેલા ચારેય આતંકીઓ પંજાબના રહેવાસી, આ હતો તેમનો ટાર્ગેટ

    ધરપકડ કરવામાં આવેલા ચારેય આતંકી ગુરપ્રીત, અમનદીપ, પરવિંદર અને ભૂપેન્દર પંજાબના રહેવાસી છે. જેમાં 3 ફિરોઝપુર અને એક લુધિયાનાનો છે. ચારેય આરોપી પાકિસ્તાની આતંકી હરવિંદર સિંહ રિંદાના ઇશારે કામ કરી રહ્યા હતા.. હરવિંદર સિંહે જ તેમને ગોલા-બારુદ સપ્લાય કર્યા હતા અને તેમને આદિલાબાદ (તેલંગાણા)માં પહોંચાડવાનું કામ સોપ્યું હતું.

    MORE
    GALLERIES

  • 36

    Terrorist Arrested: કરનાલથી પકડાયેલા ચારેય આતંકીઓ પંજાબના રહેવાસી, આ હતો તેમનો ટાર્ગેટ

    ચારેય આતંકીઓને આ માટે મોટી રકમ મળવાની હતી. આ પહેલા પણ આરોપી નાંદેડ પાસે આવી કન્સાઇનમેન્ટ પહોંચાડી ચૂક્યા છે. રિંદા તેમને ડ્રોનથી સપ્લાય કરતો હતો. અને મોબાઇલ એપથી લોકેશન સેન્ડ કરતો હતો. આ પછી વિસ્ફોટકને જણાવેલા લોકેશન સુધી પહોંચાડતા હતા.

    MORE
    GALLERIES

  • 46

    Terrorist Arrested: કરનાલથી પકડાયેલા ચારેય આતંકીઓ પંજાબના રહેવાસી, આ હતો તેમનો ટાર્ગેટ

    આ આંતકીઓ પાસેથી એક દેશી પિસ્તોલ, 31 કારતૂસ, 1.30 લાખ રૂપિયા કેશ, 3 લોખંડના કન્ટેનર મળી આવ્યા છે. ટીમે તેમનો એક્સ રે કરાવ્યો છે. જેમાં એક્સપ્લોસિવની પૃષ્ટી થઇ છે.

    MORE
    GALLERIES

  • 56

    Terrorist Arrested: કરનાલથી પકડાયેલા ચારેય આતંકીઓ પંજાબના રહેવાસી, આ હતો તેમનો ટાર્ગેટ

    SP ગંગારામ પૂનિયાએ જણાવ્યું કે આરોપી ગુરપ્રીત જેલ જઇ આવ્યો છે. જેલમાં જ તેની મુલાકાત રાજવીર નામના વ્યક્તિ સાથે થઇ હતી. રાજવીરની પાકિસ્તાની આતંકી હરવિંદર સિંહ રિંદા સાથે જૂની ઓળખાણ છે. રાજવીરે જ ગુરુપ્રીતની વાત રિંદા સાથએ કરાવી હતી. તે લગભગ 9 મહિનાથી સંપર્કમાં હતા.

    MORE
    GALLERIES

  • 66

    Terrorist Arrested: કરનાલથી પકડાયેલા ચારેય આતંકીઓ પંજાબના રહેવાસી, આ હતો તેમનો ટાર્ગેટ

    આઈબી પાસેથી મળેલી સૂચના પછી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ બસતાડા ટોલ પ્લાઝા પાસે નાકાબંધી કરી હતી અને ઇનોવા ગાડીને ચેકિંગ માટે રોકી હતી. પોલીસે ચારેય આતંકીની ધરપકડ કરી અને દારૂ ગોળો જપ્ત કર્યો હતો.

    MORE
    GALLERIES