Coronavirus in India: ભારતમાં કુલ 20,23,809 લોકોને કોરોના વેક્સીનેશન (Corona Vaccination) કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. ગણતંત્ર દિવસ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,102 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. નોંધનીય છે કે, 7 મહિના બાદ 10 હજારથી ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 117 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,06,76,838 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 3 લાખ 45 હજાર 985 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 15,901 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,77,266 એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ 96.8 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,53,587 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદમાં 94, સુરતમાં 85, વડોદરામાં 94, રાજકોટમાં 45, પંચમહાલમાં 9, કચ્છમાં 8, નર્મદામાં 7, ડાંગમાં 6, દાહોદમાં, ગીરસોમનાથમાં 5-5, ભરૂચમાં 4, ગાંધીનગરમાં 8, ભાવનગરમાં 3, જૂનાગઢમાં 5, અમરેલી,આણંદ, જામનગરમાં 2-2, વલસાડમાં 2, અરવલ્લી, બનાસકાંઠા, મહીસાગર, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ મળીને કુલ 390 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)