Coronavirus in India, 13 July 2021: ભારતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ધીમી પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 118 દિવસ બાદ સંક્રમણના સૌથી ઓછા કેસ નોંધાયા છે. આ ઉપરાંત રિકવરી રેટમાં પણ સુધારો નોંધાતા તે 97.28 ટકા થઈ ગયો છે. ભારતમાં 109 દિવસ બાદ એક્ટિવ કેસ સૌથી ઓછા થયા છે જેની આરોગ્ય તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. નોંધનીય છે કે, મધ્ય પ્રદેશે બેકલોગ મૃત્યુનો આંકડો 1478 જાહેર કર્યો છે. જેના કારણે 24 કલાકમાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં 16 ટકા જેટલો વધારો નોંધાયો છે. (પ્રતીકાત્મક તસવીર)
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 31,443 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 2020 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,09,07,282 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 37,73,52,501 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 12,35,287 લોકોને રસી આપવામાં આવી છે.
ગુજરાતના અન્ય જિલ્લાઓમાં 1-9 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેર નોંધાયા છે. સૌથી વધુ રસીકરણ આજે અમદાવાદ શહેરમાં થયું. અમદાવાદમાં 21,187 દર્દીઓને રસી આપવામાં આવી. રાજ્યમાં હવે કોરો વાયરસના કુલ એક્ટિવ કેસ 801 જ છે જ્યારે ફક્ત 7 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં આ પૈકીના 794 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 8,13,399 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં આ કોરોનાવાયરસનો ઐતિહાસિક તળિયે આવેલો આંકડો છે. (પ્રતીકાત્મક તસવીર)