COVID-19 in India, 20 June 2021: કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણનો કહેર દેશમાં ઓછો થતાં 81 દિવસ બાદ એક દિવસમાં નોંધાતા કેસોની સંખ્યા 60 હજારથી ઓછી નોંધાઈ છે. આ ઉપરાંત મોટી રાહતની બાબત એ છે કે રિકવરી રેટ (Covid Recovery Rate) સુધરીને 96.27 ટકા થયો છે અને પોઝિટિવિટી રેટ (Corona Positivity Rate) 5 ટકાથી નીચે રહ્યો છે. હાલ પોઝિટિવિટી રેટ 3.43 ટકા છે. (પ્રતીકાત્મક તસવીર)
રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 58,419 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1576 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,98,81,965 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 27,66,93,572 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-19ની મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 87 લાખ 66 હજાર 9 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 87,619 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 7,29,243 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,86,713 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 228 કેસ નોંધાયા છે. જેની સામે 874 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 5 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10028 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.98 ટકા છે. અત્યાર સુધીમાં 2,18,71,920 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. શનિવારે કુલ 3,24,615 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 40, સુરતમાં 44, વડોદરામાં 21, રાજકોટમાં 20, જૂનાગઢમાં 14, ગીર સોમનાથમાં 17, સાબરકાંઠામાં 8, ભરૂચ, જામનગર, વલસાડમાં 6-6, કચ્છ, નવસારી, પંચમહાલમાં 5-5, અમરેલી, પાટણ, ગાંધીનગર, પોરબંદરમાં 4-4, બનાસકાંઠામાં 3, ખેડામાં 2, આણંદ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 સહિત કુલ 228 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કારણે 5 દર્દીઓના મોત થયા છે. સુરતમાં 2, અમદાવાદ, ગાંધીનગર અને મહીસાગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 81, સુરતમાં 140, વડોદરામાં 114, રાજકોટમાં 57, ભાવનગરમાં 192, અમરેલીમાં 57, ગાંધીનગરમાં 45, મહેસાણામાં 41, જૂનાગઢમાં 35 સહિત કુલ 874 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)