Home » photogallery » national-international » ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર, મોતના મામલે દુનિયામાં ત્રીજા નંબરે

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર, મોતના મામલે દુનિયામાં ત્રીજા નંબરે

દેશમાં કોરોનાનો કહેરઃ 24 કલાકમાં વધુ 3,57,229 લોકો થયા સંક્રમિત, 3,449 દર્દીઓનાં મોત

विज्ञापन

  • 18

    ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર, મોતના મામલે દુનિયામાં ત્રીજા નંબરે

    Coronavirus Second Wave Updates: કોરોના વાયરસ (Covid-19)ના કારણે સૌથી વધુ મોતના મામલાઓમાં ભારત (India)એ મેક્સિકો (Mexico)ને પાછળ છોડી દીધું છે અને ત્રીજા નંબર પર આવી ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 22 હજાર 408 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મામલામાં અમેરિકા (US) પહેલા નંબર પર છે. અહીં 5.92 લાખ અને બ્રાઝિલ (Brazil)માં 4.07 લાખ લોકોનાં મોત થયા છે. ચોથા નંબરે પહોંચેલા મેક્સિકોમાં અત્યાર સુધીમાં 2.17 લાખ દર્દીઓનાં મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 28

    ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર, મોતના મામલે દુનિયામાં ત્રીજા નંબરે

    4 મે મંગળવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,57,229 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,449 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,02,82,833 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 15,89,32,921લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 38

    ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર, મોતના મામલે દુનિયામાં ત્રીજા નંબરે

    વિશેષમાં, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 66 લાખ 13 હજાર 292 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,20,289 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 34,47,133 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,22,408 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 48

    ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર, મોતના મામલે દુનિયામાં ત્રીજા નંબરે

    ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 3 મે સુધીમાં ભારતમાં કુલ 29,33,10,779 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે સોમવારના 24 કલાકમાં 16,63,742 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 58

    ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર, મોતના મામલે દુનિયામાં ત્રીજા નંબરે

    ગુજરાતમાં એક દિવસમાં 12,820 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 11,999 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી કેસનો ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ નવા કેસની સંખ્યા 5000ની નીચે ગઈ છે. દરમિયાનમાં આજે 140 દર્દીનાં નિધન થયા છે. અમદાવાદમાં 4616 કેસ શહેરમાં નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 68

    ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર, મોતના મામલે દુનિયામાં ત્રીજા નંબરે

    આ ઉપરાંત, 24 કલાકમાં સુરત શહેરમાં 1309, વડોદરા શહેરમાં 497, મહેસાણામાં 493, ભાવનગર શહેરમાં 431, રાજકોટ શહેરમાં 397, જામનગર શહેરમાં 393, સુરત જિલ્લામાં 347, જામનગર જિલ્લામાં 319, બનાસકાંઠામાં 199, કચ્છમાં 187, મહીસાગરમાં 169, ગાંધીનગરમાં 162, નવસારીમાં 160, દાહોદમાં 159, ખેડામાં 159, ગાંધીનગર શહેરમાં 155 નવા કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 78

    ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર, મોતના મામલે દુનિયામાં ત્રીજા નંબરે

    જ્યારે 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં 148, સાબરકાંઠામાં 141, ભાવનગરમાં જિલ્લામાં 140, જૂનાગઢ જિલ્લામાં 132, પાટણમાં 131, આણંદમાં 127, રાજકોટ જિલ્લામાં 127, વલસાડમાં 125, ગીરસોમનાથમાં 125, અરવલ્લીમાં 109, પંચમહાલમાં 108, નર્મદામાં 103, ભરૂચમાં 101, અમરેલીમાં 99, છોટાઉદેપુરમાં 99, સુરેન્દ્રનગરમાં 71, અમદાવાદ 55, દેવભૂમિ દ્વારકા 50, તાપીમાં 49, પોરબંદરમાં 44, ડાંગ 26, બોટાદ 14, મળીને કુલ 12,820 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 88

    ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર, મોતના મામલે દુનિયામાં ત્રીજા નંબરે

    ગુજરાતમાં હાલ 1,47,499 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 747 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 1,46,752 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં કુલ 4,52,275 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 7,648 દર્દીનાં મૃત્યુ થયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES