Coronavirus in India, 11 July 2021: સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,506 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 895 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,07,52,950 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 37,60,32,586 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 37 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 53 કેસ નોંધાયા છે. જેની સામે 258 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10073 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.64 ટકા છે. અત્યાર સુધીમાં 2,76,27,473 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. શનિવારે કુલ 3,02,282 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતીકાત્મક તસવીર)