Home » photogallery » national-international » દેશમાં ડરાવી રહ્યા છે કોરોના મોતના આંકડા, 24 કલાકમાં 4454 દર્દીઓએ જીવ ગુમાવ્યો

દેશમાં ડરાવી રહ્યા છે કોરોના મોતના આંકડા, 24 કલાકમાં 4454 દર્દીઓએ જીવ ગુમાવ્યો

ભારતમાં એક દિવસમાં વધુ 2 લાખ 22 હજાર લોકો થયા કોરોના સંક્રમિત, એક્ટિવ કેસો 28 લાખની નીચે

  • 17

    દેશમાં ડરાવી રહ્યા છે કોરોના મોતના આંકડા, 24 કલાકમાં 4454 દર્દીઓએ જીવ ગુમાવ્યો

    COVID-19 in India: દેશને કોરોનાની બીજી લહેર (COVID-19 2nd Wave)થી રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. મે મહિનાની શરૂઆતમાં કોરોના (Coronavirus)ના ડરાવનારા આંકડા મહિનાના અંતમાં ઘટવા લાગ્યા છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓનો (Covid Patients) ગ્રાફ ભલે ઝડપથી નીચે આવી રહ્યો છે પરંતુ ખતરો હજુ પણ ઓછો થયો નથી. સંક્રમણના નવા કેસો ભલે ઘટી રહ્યા છે પરંતુ 24 કલાકમાં નોંધાતા મૃત્યુના આંકડા (Corona Deaths) ચિંતા વધારનારા છે. હજુ પણ દેશમાં એક દિવસમાં 4 હજારથી વધુ દર્દીઓનાં મોત થઈ રહ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 27

    દેશમાં ડરાવી રહ્યા છે કોરોના મોતના આંકડા, 24 કલાકમાં 4454 દર્દીઓએ જીવ ગુમાવ્યો

    24 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,22,315 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4,454 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,67,52,447 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 19,60,51,962 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 37

    દેશમાં ડરાવી રહ્યા છે કોરોના મોતના આંકડા, 24 કલાકમાં 4454 દર્દીઓએ જીવ ગુમાવ્યો

    કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 2 કરોડ 37 લાખ 28 હજાર 11 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,02,544 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 27,20,716 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,03,720 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 47

    દેશમાં ડરાવી રહ્યા છે કોરોના મોતના આંકડા, 24 કલાકમાં 4454 દર્દીઓએ જીવ ગુમાવ્યો

    ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 23 મે સુધીમાં ભારતમાં કુલ 33,05,36,064 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે રવિવારના 24 કલાકમાં 19,28,127 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 57

    દેશમાં ડરાવી રહ્યા છે કોરોના મોતના આંકડા, 24 કલાકમાં 4454 દર્દીઓએ જીવ ગુમાવ્યો

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 3794 નવા કેસ નોંધાયા છે ત્યારે 24 કલાકમાં 53 દર્દીઓના મોત નીપજ્યા છે. આ ઉપરાંત રાજ્યભરમાં 8734 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,03,760 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યનો રીકવરી રેટ 89.26 ટકા જેટલો પહોંચ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 67

    દેશમાં ડરાવી રહ્યા છે કોરોના મોતના આંકડા, 24 કલાકમાં 4454 દર્દીઓએ જીવ ગુમાવ્યો

    છેલ્લા 24 કલાકમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 545, વડોદરા શહેરમાં 367, સુરત શહેરમાં 284, રાજકોટ શહેરમાં 178, જામનગર શહેરમાં 102 કેસ નોંધાયા છે. સુરતમાં 161, વડોદરામાં 131, સાબરકાંઠામાં 130, આણંદમાં 125, રાજકોટમાં 125, પંચમહાલમાં 105, બનાસકાંઠામાં 99, મહેસાણામાં 99, પોરબંદરમાં 88, કચ્છમાં 87, ખેડામાં 85, પાટણમાં 84, ભરૂચમાં 82, અમરેલીમાં 81, જુનાગઢ શહેરમાં 68, ભાવનગર શહેરમાં 69 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 77

    દેશમાં ડરાવી રહ્યા છે કોરોના મોતના આંકડા, 24 કલાકમાં 4454 દર્દીઓએ જીવ ગુમાવ્યો

    દેવભુમી દ્વારકા 58, જામનગર 54, નર્મદા 51, નવસારી 48, ભાવનગર 47, મહિસાગર 46, વલસાડ 44, ગીર સોમનાથ 42, ગાંધીનગરમાં 41 આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં 40 કરતા ઓછા કેસ નોંધાયા છે. અત્યારે 652 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે ત્યારે 74,482 દર્દીઓ સ્ટબલ છે. અત્યાર સુધીમાં કુલ 9576 દર્દીઓના કોરોનાના કારણે મોત નીપજ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES