Home » photogallery » national-international » Coronavirus in India: 24 કલાકમાં 3998 દર્દીનાં મોત, મહારાષ્ટ્રે બેકલોગ મૃત્યુઆંક ઉમેરતા વધી સંખ્યા

Coronavirus in India: 24 કલાકમાં 3998 દર્દીનાં મોત, મહારાષ્ટ્રે બેકલોગ મૃત્યુઆંક ઉમેરતા વધી સંખ્યા

Covid-19: મહારાષ્ટ્રે 3509નો બેકલોગ મૃત્યુઆંક અપડેટ કરતાં 24 કલાકમાં મોતની સંખ્યા 3,998એ પહોંચી

विज्ञापन

  • 16

    Coronavirus in India: 24 કલાકમાં 3998 દર્દીનાં મોત, મહારાષ્ટ્રે બેકલોગ મૃત્યુઆંક ઉમેરતા વધી સંખ્યા

    Corona Pandemic in India, 21 July 2021: દેશમાં આજે અચાનકથી કોરોના મોત (Corona Deaths)ના આંકડામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. મૂળે મહારાષ્ટ્રમાં બેકલોગ મૃત્યુઆંક (Maharashtra Backlog Deaths)ને અપડેટ કરવાના કારણે એક દિવસમાં 4 હજારની નજીક મોતનો આંકડો નોંધાયો. મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના (Coronavirus)ના કારણે 147 દર્દીઓનાં મોત થયા, જ્યારે 3509 બેકલોગ મૃત્યુઆંકને અપડેટ કરવામાં આવ્યો. આ પહેલા 9 જૂને બિહારમાં પણ બેકલોગ મૃત્યુઆંક (Bihar Backlog Deaths)ને અપડેટ કરવામાં આવ્યો હતો. તે દિવસે ભારતમાં મોતનો આંકડો 6,139 સુધી પહોંચી ગયો હતો. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 26

    Coronavirus in India: 24 કલાકમાં 3998 દર્દીનાં મોત, મહારાષ્ટ્રે બેકલોગ મૃત્યુઆંક ઉમેરતા વધી સંખ્યા

    બુધવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 42,015 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,998 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,12,16,337 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 41,54,72,455 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 34,25,446 લોકોને રસી આપવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 36

    Coronavirus in India: 24 કલાકમાં 3998 દર્દીનાં મોત, મહારાષ્ટ્રે બેકલોગ મૃત્યુઆંક ઉમેરતા વધી સંખ્યા

    નોંધનીય છે કે, કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 3 લાખ 90 હજાર 687 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 36,977 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,07,170 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,18,480 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 46

    Coronavirus in India: 24 કલાકમાં 3998 દર્દીનાં મોત, મહારાષ્ટ્રે બેકલોગ મૃત્યુઆંક ઉમેરતા વધી સંખ્યા

    વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 20 જુલાઈ, 2021 સુધીમાં ભારતમાં કુલ 44,91,93,273 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના 24 કલાકમાં 18,52,140 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 56

    Coronavirus in India: 24 કલાકમાં 3998 દર્દીનાં મોત, મહારાષ્ટ્રે બેકલોગ મૃત્યુઆંક ઉમેરતા વધી સંખ્યા

    ગુજરાતમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 29 કેસ નોંધાયા છે. જેની સામે 61 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 યથાવત છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 66

    Coronavirus in India: 24 કલાકમાં 3998 દર્દીનાં મોત, મહારાષ્ટ્રે બેકલોગ મૃત્યુઆંક ઉમેરતા વધી સંખ્યા

    ગુજરાતમાં હવે ફક્ત 411 દર્દીઓ જ એક્ટિવ કેસ તરીકે છે જ્યારે 05 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 8,14,059 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે જ્યારે કુલ 10076 દર્દીના કોરોના કારણે મૃત્યુ થયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES