Home » photogallery » national-international » Corona Vaccine Update: ભારતમાં કોરોના વાયરસે સ્વરૂપ નથી બદલ્યું, વેક્સીન પર કોઈ અસર નહીં પડે- PMO

Corona Vaccine Update: ભારતમાં કોરોના વાયરસે સ્વરૂપ નથી બદલ્યું, વેક્સીન પર કોઈ અસર નહીં પડે- PMO

PMOએ એક નિવેદનમાં કહ્યું કે ભારતમાં ત્રણ વેક્સીન વિકાસના ઉન્નત ચરણોમાં છે, જેમાંથી બે વેક્સીન બીજા ચરણ અને એક વેક્સીન ત્રીજા ચરણમાં છે

  • 17

    Corona Vaccine Update: ભારતમાં કોરોના વાયરસે સ્વરૂપ નથી બદલ્યું, વેક્સીન પર કોઈ અસર નહીં પડે- PMO

    નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus Vaccine)ની પ્રભાવી વેક્સીન વિકસિત કરવા માટે દુનિયાભરમાં ચાલી રહેલા પ્રયાસોની વચ્ચે ભારત સરકારે શનિવારે કહ્યું કે દેશમાં વાયરસ (COVID-19)ના જીનોમને લઈને કરવામાં આવેલા બે અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે તે આનુવંશિક રીતે સ્થિર છે અને તેના સ્વરૂપમાં કોઈ મોટા ફેરફાર (મ્યૂટેશન) નથી જોવા મળ્યા. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 27

    Corona Vaccine Update: ભારતમાં કોરોના વાયરસે સ્વરૂપ નથી બદલ્યું, વેક્સીન પર કોઈ અસર નહીં પડે- PMO

    કેટલાક એક્સપર્સે્વ ચિંતા વ્યક્ત કરી છે કે કોરોના વાયરલ (Coronavirus)ના સ્વરૂપમાં મોટા ફેરફાર થવાથી તેની પ્રભાવી વેક્સીન બનાવવામાં અડચણ ઊભી થઈ શકે છે. જોકે હાલના કેટલાક વૈશ્વિક અધ્યયનોમાં સામે આવ્યું છે કે વાયરસના સ્વરૂપમાં આવનારા હાલના ફેરફારોથી કોવિડ-19 માટે હાલમાં વિકસિત કરવામાં આવી રહેલી વેક્સીન પર કોઈ અસર નહીં પડવી જોઈએ. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 37

    Corona Vaccine Update: ભારતમાં કોરોના વાયરસે સ્વરૂપ નથી બદલ્યું, વેક્સીન પર કોઈ અસર નહીં પડે- PMO

    COVID-19 વૈશ્વિક મહામારીની સ્થિતિને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક બાદ વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં કહ્યું કે ભારતમાં ત્રણ વેક્સીન વિકાસના ઉન્નત ચરણોમાં છે, જેમાંથી બે વેક્સીન બીજા ચરણ અને એક વેક્સીન ત્રીજા ચરણમાં છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 47

    Corona Vaccine Update: ભારતમાં કોરોના વાયરસે સ્વરૂપ નથી બદલ્યું, વેક્સીન પર કોઈ અસર નહીં પડે- PMO

    PMOએ કહ્યું કે, આઇસીએમઆર (ICMR) અને ડીબીટી (DBT) દ્વારા સાર્સ-કોવ-2 (કોવિડ-19 વાયરસ)ના જીનોમ પર કરવામાં આવેલા અખિલ ભારતીય અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે વાયરસ આનુવંશિક રીતે સ્થિર છે અને તેના સ્વરૂપમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 57

    Corona Vaccine Update: ભારતમાં કોરોના વાયરસે સ્વરૂપ નથી બદલ્યું, વેક્સીન પર કોઈ અસર નહીં પડે- PMO

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ગયા મહિને કહ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસના સ્ટ્રેનમાં કોઈ મોટું કે અગત્યનો ફેરફાર નથી જોવા મળ્યો. તેમણે કહ્યું હતું કે ICMR છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન રાષ્ટ્રીય સ્તર પર એકત્ર કરવામાં આવેલા સ્ટ્રેન (વાયરસના સ્વરૂપ)નું મોટાપાયે અધ્યયન કરવામાં લાગેલી છે. તેમણે કહ્યું હતું કે વાયરસના સ્વરૂપમાં ફેરફારના સંબંધમાં ઓક્ટોબરના પ્રારંભમાં જાણકારી ઉપલબ્ધ હશે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 67

    Corona Vaccine Update: ભારતમાં કોરોના વાયરસે સ્વરૂપ નથી બદલ્યું, વેક્સીન પર કોઈ અસર નહીં પડે- PMO

    PMOએ એક નિવેદનમાં કહ્યું કે, નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સીન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19 (NEGVAC)એ રાજ્ય સરકારો અને તમામ પ્રાસંગિક હિતધારકોની સાથે મળી વેક્સીનના સ્ટોરેજ, વિતરણ અને તેને આપવા માટે એક વિસ્તૃત બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 77

    Corona Vaccine Update: ભારતમાં કોરોના વાયરસે સ્વરૂપ નથી બદલ્યું, વેક્સીન પર કોઈ અસર નહીં પડે- PMO

    વિશેષજ્ઞ સમૂહ રાજ્યોની સાથે વિચાર-વિમર્શ કરીને વેક્સીન સંબંધી પ્રાથમિકતા અને વિતરણ પર સક્રિયતાથી કામ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં નિર્દેશ આપ્યા કે દેશની ભૌગોલિક સ્થિતિ અને વિવિધતાને ધ્યાનમાં રાખતા વેક્સીન સુધી પહોંચ સુનિશ્ચિત કરવી જોઈએ. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES