India Covid-19 Updates, 26 July 2021: દેશમાં કોરોનાવાયરસ (Coronavirus cases India)ના સંક્રમણથી પ્રભાવિત થતા લોકોના આંકડામાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સતત ચોથો દિવસ એવો રહ્યો છે જેમાં સંક્રમણના 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. બીજી તરફ, એક્ટિવ કેસોમાં નહીંવત વધારો નોંધાયો છે. બીજી તરફ, 9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં સંક્રમણનું પ્રમાણ વધતાં કેસોમાં વધારો નોંધાયો છે. હાલ દેશમાં કોવિડ રિકવરી રેટ (Covid Recovery Rate) 97.4 ટકા છે. (પ્રતીકાત્મક તસવીર)
સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 39,361 નવા (Coronavirus cases india) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 416 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,13,71,901 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 43,51,96,001 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 18,99,874 લોકોને રસી આપવામાં આવી છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 5 લાખ 79 હજાર 106 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 35,968 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,11,189 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,20,967 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજના પાંચ વાગ્યા સુધી 3,22,664 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં એક્ટીવ કેસોની વાત કરીએ તો રાજ્યમાં કુલ 330 એક્ટિવ કેસો છે જેમાં 5 વેન્ટીલેટર ઉપર છે જ્યારે 324 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 10,076 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે 81,43007 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. (પ્રતીકાત્મક તસવીર)