Covid-19 Second Wave Updates 15 June 2021: દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. 76 દિવસ બાદ કોરોના (Corona New Cases) સંક્રમિત થનારા લોકોની સંખ્યા સૌથી ઓછી નોંધાઈ છે. બીજી તરફ એક્ટિવ કેસો (Covid Active Cases)ની સંખ્યા પણ 10 લાખની નીચે આવી ગઈ છે. આ ઉપરાંત કોવિડ રિકવરી રેટ (Covid Recovert Rate)માં પણ સુધારો થતાં તે 95.6 ટકાએ પહોંચી ગયો છે. આ ઉપરાંત મહામારી સામે લડતાં દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Campaign) પણ વેગવંતુ બની રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 60,471 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 2726 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,95,70,881 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 25,90,44,072 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેરનો કહેર ઘટી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 405 કેસ નોંધાયા છે. જેની સામે 1106 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10003 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.62 ટકા છે. અત્યાર સુધીમાં 2,05,58,024 વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે. સોમવારે કુલ 2,93,131 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 47, સુરતમાં 78, વડોદરામાં 61, રાજકોટમાં 32, જૂનાગઢમાં 30, ગીર સોમનાથમાં 20, પોરબંદરમાં 16, ગાંધીનગરમાં 13, અમરેલીમાં 12, નવસારી, ભરુચમાં 9-9, બનાસકાંઠા, જામનગર, ખેડા, વલસાડમાં 8-8, પંચમહાલમાં 7, આણંદમાં 6, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં 5-5, સાબરકાંઠા, ભાવનગર, તાપીમાં 4-4, મહીસાગરમાં 3, અરવલ્લી, મોરબીમાં 2-2 અને નર્મદામાં 1 સહિત કુલ 405 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 2, સુરતમાં 2, જ્યારે રાજકોટ, ભરૂચમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 183, સુરતમાં 143, વડોદરામાં 180, રાજકોટમાં 33, મહેસાણામાં 97, ગાંધીનગરમાં 68, ગીર સોમનાથમાં 45, આણંદમાં 44, અમરેલીમાં 36, જૂનાગઢમાં 29, ખેડા, ભાવનગરમાં 27-27, જામનગર, કચ્છમાં 23-23 સહિત કુલ 1106 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)