COVID-19 in India, 8 July 2021: ભારતમાં કોરોના સંક્રમણનો કહેર ઘટ્યો છે પણ ચિંતાનું કારણ હજુ પણ છે કારણ કે રોજ નોંધાતા કેસો 40 હજારથી ઉપર જ નોંધાય છે, સાથોસાથ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે. બીજી તરફ, કોરોના વેક્સીનેશન અભિયાન પણ ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 33 લાખ 81 હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 45,892 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 817 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,07,09,557 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 36,48,47,549 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સીનના 33,81,671 ડોઝ આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 98 લાખ 43 હજાર 825 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 44,291 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,60,704 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,05,028 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં આજે 16 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે આજે એક પણ કોરોનાથી મૃત્યુ થયું નથી. જ્યારે સાજા થયેલા દર્દીઓની સૌથી વધુ અમદાવાદમાં 58, ગીર સોમનાથમાં 50, અમદાવાદમાં 38, ભરૂચમાં આઠ, ગાંધીનગર કોર્પોરેશનમાં 42, જૂનાગઢમાં 11, વડોદરા કોર્પોરેશનમાં 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. (પ્રતીકાત્મક તસવીર)